SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ३२० નગરજનો પણ ઉમટયાં છે. એ જ નગરીમાં ભદ્રા નામની સાથે વાહિની રહેતી હતી. તેને ધન્ના નામના પુત્ર હતા. તે ખૂખ વૈભવશાળી હતા. પહેલાનાં વખતમાં જે હુ શ્રીમંત હાય તે ઈચ્છ્વ કહેવાતા હતાં. આ ધન્ના પાતે રાજા ન હતા, પણ રજવાડા જેવી જ સાહ્યખી ભાગવતા હતા. જેને રહેવા માટે ત્રીસ પ્રકારનાં મહેલ હતાં. એ મહેલાનાં ભેાંયતળિયા રત્નોથી જડેલા હતા. એના બારણે લટકાવેલાં તારણા તમારા ઘરનાં તારણેા જેવા કીડીયા મણકાનાં ન હતાં. પણ સાચા મેાતી અને મણીએથી ગુંથેલાં હતાં. આવા વૈભવશાળી ધન્ના રાજશાહી સુખા ભેગવી રહ્યો છે. આ સમયે ભગવાન મહાવીર સ્વામી કાઢી નગરીમાં પધાર્યાં છે. જિતશત્રુ રાજા અને નગરજને ભગવાનનાં દર્શનાર્થે જઈ રહ્યાં છે. દરેકના સુખ ઉપર આનંદ છે. લોકોના ટોળે ટોળા ધન્નાએ પેાતાના મહેલના અરૂખામાંથી જતાં જોયાં એટલે પેાતાના માણસાને પૂછે છે કે આજે સંખ્યાબંધ લોકો કયાં જઈ રહ્યા છે? ત્યારે એના માણસોએ કહ્યું કે જેના નામ સ્મરણ માત્રથી કની ભેખડા તૂટી જાય છે, જેના દર્શીનથી દુઃખડા દૂર થાય છે એવા ભગવાન મહાવીર સ્વામી પધાર્યાં છે. આ સાંભળી ધન્નાને આનંદ થયા. અને એ પણ પ્રભુના દર્શન કરવા માટે ગયાં. તેમણે ભગવાનની દેશના સાંભળી. તેમના પવિત્ર હૃદયમાં એક જ વખતની દેશનાએ અસર કરી. ભગવાને પુદ્ગલ પરાવર્તનની વાત સમજાવી. આ જીવાત્માએ અન તકાળથી કેટલા પુદ્ગલ પરાવર્તન કર્યાં પણ હજી ભવના અંત આવ્યેા નહી. આ વાત સાંભળીને ધન્નાજીને વૈરાગ્ય આવ્યા. ગમે તેટલી સ'પત્તિ હેાવા છતાં એક વિસ છેડવાની તા છે જ. આવી સપત્તિ હું આ ભવમાં જ નહિ પણ અનંતી વાર પામ્યા અને છેડવી પડી. ભગવાનની વાણીએ ધન્નાજીનું હૃદય ભેદી નાંખ્યુ. એનુ હૃદય લાખડી ન હતું એટલે જલ્દી પીગળી ગયું. વૈરાગ્યના રંગ : એ હાથ જોડી પ્રભુને કહે છે હું પ્રભુ! મને આ સંસાર અસાર લાગ્યા છે. આપની વાણી મને રૂચી છે. અહીથી ઘેર જઈ ને મારી માતાની આજ્ઞા લઈ ને વહેલામાં વહેલી તકે આપની પાસે સંયમ અંગીકાર કરવા માટે આવુ' '. આપ ત્યાં સુધી અહીં જ સ્થિરતા કરો. ભગવાન કહે છે— अहासुयं देवाणुपिया ! मा पडिबंध करेह " હે દેવાનુપ્રિય ! તને જેમ સુખ ઉપજે તેમ કર. સારા કાર્ય'માં વિલ`ખ ન કર. ધન્નાજી ભગવાનની વાણી સાંભળી ઘેર ગયા. પહેલાં જ્યારે બહારથી આ તાં ત્યારે એની દૃષ્ટિ પહેલાં અંતેર તરફ જતી હતી. આજે તેા સીધા માતાના મહેલે ગય. અને માતાને કહ્યું કે માતા ! આજે મે' ભગવાનની વાણી સાંભળી. મને હવે આ સાંસાર અસાર લાગ્યા છે. મને દીક્ષાની આજ્ઞા આપે. આ સાંભળતાં જ માતા ધરતી ઉપર ઢળી પડી. અંતે માતાને શુદ્ધિમાં લાવી માતાને સમજાવી. માતા સમજી ગયા કે હવે મારા પુત્ર શકાય તેમ નથી, એટલે રજા "L
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy