SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ યાયી છે. છે. કોઈ માણસ કડવું વચન કહે અને તમે અમૃતની જેમ તેને પ્રેમથી પી જાવ તે કર્મ ખપે. બાકી નહિ. બંધુઓ ! આ સંસારમાં રાચવા જેવું જ નથી. સંસાર તે છેડવા યોગ્ય જ છે. તે તમે માનજે કે મારા પ્રબળ પુણ્યને ઉદય છે કે મને આવા પંચ મહાવ્રતધારી સંત ઉપદેશ કરી રહ્યા છે. હવે તે મારાથી આ સંસારમાં રહેવાય જ નહિ. અરે! સંસાર ન છોડી શકે તે ખેર પણ સંસારમાં રહીને એટલે તે વિચાર કરે કે મારે પ્રમાદ ન કર. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જ્ઞાતા ગૌતમ સ્વામીને ભગવાને કહ્યું. “સમર્થ ચમ મા "માયા.” હે ગૌતમ! સમય માત્રને પણ પ્રમાદ ન કર. ગૌતમ સ્વામીએ સહેજ પ્રમાદ કર્યો તે આણંદ શ્રાવકને ખમાવવા જવું પડ્યું. ભગવાનની આજ્ઞા થતાં ગૌતમ સ્વામી હસતા ચહેરે આણંદ શ્રાવક પાસે ક્ષમા માંગવા ગયા. માટે જ્ઞાની કહે છે કે તું સમયે સમયે ઉપગ રાખ. માણસ એક કલાકની સામાયિક લઈને બેસે. ૫૯ મિનિટ તે વિચારે શુદ્ધ રહ્યા પણ જે એક જ મિનિટ વિચારમાં મલીનતા આવી ગઈ તે ૫૯ મિનિટને માટે લાભ ગુમાવી દે છે. સત્સંગ એ જીવને મહાન લાભદાયી છે. અહીંયા ભૃગુ પુરેહિતના બે પુત્રો નાના બાળ છે. તેમને પણ સંત સમાગમ થતાં તેઓ ચારિત્રનું પાલન કરવા માટે તૈયાર થયા છે. અંતરમાં લગની લાગી છે. તેઓ પિતાને શું કહે છે : असासयं ददु इमं विहारं, बहु अंतरायं न दीहमाउं । तम्हो गिहंसि न रइं लभामो, आमन्तयामो चरिस्सामु मोणं ।। ઉ. સૂ. અ. ૧૪ ગાથા ૭ હે પિતાજી! આ મનુષ્ય ભવ રૂપી નિવાસસ્થાન અશાશ્વત છે. એમાં પણ વચમાં ઘણું વિદને આવે છે. આયુષ્ય પણ અપ છે. એટલે અમને હવે ઘરમાં સહેજ પણ આનંદ આવતું નથી. માટે આપ અમને દીક્ષાની આજ્ઞા આપે. બંધુઓ! વિચાર કરે. આ કુમારોએ એક જ વખત સંતનું દર્શન કર્યું, અને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. તે શું આપણને આ અવસર કોઈ વખત નહિ આવે હેય! જન્માંતરમાં સંતનું દર્શન નહિ કર્યું હોય ! વીતરાગની વાણું નહિ સાંભળી હેય ! બધું જ કર્યું હશે પણ જે ભાવે કરવું જોઈએ તે ભાવે કર્યું નથી. વીતરાગ વાણી સાંભળવા અહીં આવ્યા તે ખરા પણ વરસાદની ઋતુમાં જેમ વેટરપ્રફ પહેરીને કોઈ નીકળે તે વરસાદનું પાણી તેને સ્પર્શ કરી શકે નહિ. તેમ અહીં પણ વિકારેનું-મોહ -માયા અને અભિમાનના પટાવાળું વેટરમુફ પહેરીને આવ્યા હશે તે વીતરાગ વાણીનું પાણી તમને સ્પશી શકશે નહિ. જે સાંભળવા ગ્ય હોય તેને બરાબર શ્રદ્ધાપૂર્વક
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy