SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ સહદેવ જેવા મૌલાના આઝાદને મોકલ્યા અને નકુળ જેવા સુભાષબાબુને મેકલ્યા. તે તેમને પણ તમે ગુમ કરી દીધા. દુનિયા પાપમય બની ગઈ છે. તેમાં પવિત્ર પુરૂષ કયાંથી જન્મ લે! બંધુઓ ! ગઈ કાલે અને આજે બે દિવસમાં તમે કૃષ્ણના વિષયમાં ઘણું સાંભળ્યું છે. એમણે જીવનમાં ઘણાં શુભ કાર્યો કર્યા છે. તેઓ આવતી ચોવીસીમાં “અમમ” નામના બારમા તીર્થંકર થવાના છે. આવા ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવનું જીવન સાંભળીને જીવનમાં કંઈક ગુણે અપનાવે અને યથાશક્તિ પ્રત્યાખ્યાન લેજે. જુગાર રમતા હે તે જુગારને ત્યાગ કરજો. વ્યસનેને ત્યાગ, કાંદા, કંદમૂળને ત્યાગ અને ત્રીજનને ત્યાગ કરી જીવનમાં પરભવનું ભાથું બાંધજો. ત્રણ દિવસ પછી અઠ્ઠાઈધરને પવિત્ર દિવસ આવે છે. ઘરઘરમાં અઠ્ઠાઈ કરવાની દાંડી પીટાવજે. રાજકેટ શહેરમાં એક ગાડી સ્ટાર્ટ થઈ છે. એમાં મોટા મોટા પેસેન્જરેએ તે તેમના નામ નેંધાવી દીધા છે. હવે અઠ્ઠાઈ કરવા તૈયાર થશે અને એ તપ રૂપી ગાડીમાં શ્રદ્ધા રાખીને બેસી જજે. “માયા નગરનું સ્ટેશન મેટું, ગાડી થંભી જાય છે, શ્રદ્ધા તે બેસી રહ્યાં ને બીજા ઉતરી જાય છે, બેસવું હોય તે બેસી જાજે, ગાડી ઉપડી જાય છે. ” અઠ્ઠાઈબરના દિવસે ઉપવાસ કર્યો અને અઢાઈ કરવાના ભાવ છે. પણ બીજે દિવસે તમારા શ્રીમતીજી કે માતાજી ગરમ ગરમ રાબડી–મગ ને સુંઠ બનાવીને કહે કે, હવે પારણું કરી લે. તે વખતે આ ગાડી અટકી ન જાય. તમે મન મક્કમ કરીને અઠ્ઠાઈ કરી લે, નહિતર પછી પસ્તા થશે. સમય થઈ ગયો છે. વિશેષ ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન..ન. ૩૯ શ્રાવણ વદ ૧૦ ને બુધવાર તા. ર૬-૮-૭૦ અનંત જ્ઞાની શાસ્ત્રકાર ભગવતે અસીમ કૃપા કરીને શાસ્ત્રરૂપી વાણીને કુવારે ઉડાડ. એ જ્ઞાન કુવારાના બિંદુઓ જેણે પિતાના અંતરમાં ઝીલી લીધા છે તે આત્મા. એને આ સંસાર બંધનરૂપ લાગે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીને અધિકાર ચાલે છે. તેમાં ભૃગુ પુશહિતના બે પુત્રને મેક્ષ તરફની તીવ્ર રૂચિ જાગી છે
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy