SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ એ તૃષ્ણા સમાન કાળી નાગણીને તમે છેદી નાંખા, નહિતર તમારા જીવનને ઝેરમય બનાવી દેશે. આજે તમને એક ઈચ્છા થાય છે એ પૂરી ન થાય ત્યાં મનમાં બીજી ઈચ્છા તૈયાર થઈ જાય છે. તમે માનતા હા કે હું ગરીબ છું. તેા જરા સારી સ્થિતિ થાય તે ધર્મધ્યાન કરુ.. હવે તમારી ઈચ્છા પાંચ હજાર મળે તેા પચાસ હજારની. પચાસ હજાર મળે તેા લાખની ઇચ્છા થાય અને લાખ મળે તે પાંચ લાખ ને ક્રેડની ઇચ્છા થાય. આમ ઇચ્છાઓ તા વધતી જ જાય છે. પાંચ લાખ મળી જાય તે એમ થાય કે હવે તે મેટર વસાવુ’. મોટર વસાવી ત્યાં આધુનિક ટાઈપના બંગલા બંધાવી દઉં. એ ખની ગયા ત્યાં થાય કે હવે તે એરક ડીશન જોઈ એ.એરકંડીશન આવે તા હવે ઘરમાં જ મગીચા બનાવી દઉં. મહાર ફરવા જવાની પણ જર ન રહે. મેલા ! તમારી તૃષ્ણાનેા અંત આવે ખરા ? કાળીનાગના માથાં તેા ગણત્રીનાં જ હતાં, પણ તમારી ઈચ્છા તે કેવી છે ? 66 ,, इच्छा उ आगास समा अनंतया આકાશના જેમ અંત નથી તેમ ઈચ્છાને કદી અંત નથી. જો તમારે સુખી થવું હાય તા કામ-ક્રોધ–મદ-મત્સર-ઇર્ષા આઢિ શત્રુઓને જડમૂળથી નાશ કરા, કૃષ્ણને એની માતાએ જન્મ આપ્યા હતા. તમને પણ તમારી માતાએ જન્મ આપ્યા છે. એ પણ એક માનવી જ હતા. આપણે પણ માનવી છીએ. ધારીએ તે કરી શકીએ છીએ. ભલે એક પુત્ર હોય પણ શૂરવીર હોવા જોઇએ. એક કવિએ કહ્યુ` છે કે— જનની જણ તેા ભક્ત જણુ, કાં દાતા કાં શૂર, નહીંતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. ’ હું માતા! તું જન્મ આપે તેા એવા પુત્રને જન્મ આપજે કે કાં તે તે ભક્ત ડાય, કાં તા દાતાર હૈાય અને કાં તે શૂરવીર હાય ! જો આવેા પુત્ર ન હોય તે તું વાંઝણી રહેજે. પણ નમાલા પુત્રને જન્મ આપીશ નહિ. જેનું ચારિત્ર શુદ્ધ છે, જે વિશેષ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરે છે. એ જ શૂરવીર પુત્ર પેદા કરી શકે છે. વિષયèાગના કીડા તે કીડા જેવા પુત્રા જ પેદા કરે છે. એના કરતાં વાંઝીયા રહેવુ એ શ્રેષ્ઠ છે. કૃષ્ણે જન્મ લઈને અનેક દુઃખીઓના દુઃખા દૂર કર્યાં છે. તેમનું જીત્રન સઢા પરોપકારમય હતું. ગીતામાં અર્જુનને ઉપદેશ આપતાં કૃષ્ણે ખોલ્યા છે કે હે અર્જુન! જ્યારે પૃથ્વી ઉપર પાપના ભાર વધશે ત્યારે પાપના ભાર ઉતારવા હું' જન્મ લઈશ. આ શબ્દોના આધારે એક કવિએ એની પના શક્તિથી એક રૂપક બનાવ્યુ` છે. આ કવિની કલ્પના છે, શ્રદ્ધાનંદ નામના એક માણસ બ્રહ્માજીની પાસે ગયા. જઈને કહ્યું. પ્રભુ ! “ એક સંદેશા લઈને આવ્યા છું. હું કૃષ્ણની સામે એક ફરિયાદ લઇને આવ્યા છુ. બ્રહ્માજી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy