SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાર્થ વિચારતાં ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વની ગણધરેએ તિ પ્રગટાવી. જેને ત્રિપદી સમજાઈ જાય તેને ક્યારે પણ કોઈ વાતને હર્ષ કે શક ન થાય. કારણ કે એ સમજે કે આ બધી પર્યાયે જ પલટાય છે. એક રાજાએ પિતાના રાજકુમારને મુગટ ભાંગીને કુંવરીને સોનાની ઝાંઝરી બનાવી આપી. હવે આ મુગટ ભાંગીને ઝાંઝરી બનાવી એટલે કુંવરી ખુશ થઈ અને પિતાને મુગટ જવાથી કુંવરને શોક થયા. જ્યારે રાજાને કઈ વાતને નથી હર્ષ કે નથી શોક. કારણ કે એની દૃષ્ટિ મૂળ સોના ઉપર છે. એ સમજે છે કે સુવર્ણની મુગટ રૂપી પર્યાયને વ્યય થ અને ઝાંઝર રૂપી પર્યાયને ઉત્પાદુ થયે. અને સુવર્ણરૂપી મૂળ દ્રવ્ય તે કાયમ રહ્યું છે પછી શોક શેને? કઈ શેઠને પચ્ચીસ વર્ષને યુવાન લાડીલે પુત્ર સંસારને લાત મારી સાધુ બની ગયે. શુદ્ધ સંયમનું પાલન કરીને ટૂંકી જિંદગીમાં આત્મ સાધના સાધી ગયે. પિતાને હાલસોયે પુત્ર દીક્ષા લે અગર કાળ કરી જાય તે એના માતા-પિતાને ખૂબ શક થાય. આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરે, ખાય-પીએ નહિ. પણ એ પુત્ર તે એની આરાધનાના બળે મરીને દેવલોકમાં ઉત્પન્ન થઈ જાય છે. દેવને ઉત્પન્ન થવાની શય્યામાં દેવદૂષ્ય વસ્ત્ર ઢાંકેલું હોય છે. ત્યાં દેવ ઉત્પન્ન થાય ત્યારે દેવશય્યા ફૂલવા માંડે છે. એ શય્યા ફૂલે છે ત્યારે ત્યાંના દેવ-દેવીઓ સમજે છે કે અહીં કેઈક જીવ આવીને ઉત્પન્ન થાય છે. એક જ અંતર્મુહૂર્તમાં પાંચેય ઇન્દ્રિયોથી પર્યાપ્ત બત્રીસ વર્ષને યુવાન દેવ ઉત્પન્ન થઈ જાય છે. તે વખતે દેવીઓ આવીને બેસે છે ખમ્મા મારા નાથને! અહો મારા નાથ ! વિના ધ્યા, for , for મોદવા” તમે પૂર્વે શું દાન-પુણ્ય પરોપકાર કર્યા? શું લુખા-સૂકા-તુચ્છ આહાર કર્યા–તપ કર્યો કે અમાશ સ્વામી થયા! અને આવી દેવત્રદ્ધિનાં ધણી થયાં. દેવલોકમાં દેવ-દેવીઓ ખુશ થાય છે જ્યારે અહીં સગાનેહીએ, માતા-પિતા આદિ કુટુંબીજને તેની પાછળ રોકકળ કરે છે. લાકડાના વાંસની નનામી બનાવી અંદર શબને સૂવાડી દરથી બાંધીને સ્મશાને લઈ ગયાં. કુટુંબમાં હાહાકાર મચી જાય છે. કૂટનાર રડતાં રડતાં શું બેલે છે. “ કાંઈ ન હો કાંઈ ન માગે, એમ કૂટે છે નાર ચાર જણ ઉપાડી ચાલ્યાં, કરતાં હાહાકાર...” અહીંથી જીવ ગયા પછી જેને માટે માતા-પિતા પત્ની ખૂબ વિલાપ કરે છે તેને દેવલોકમાં ખમ્મા ખમ્મા થતી હોય છે. દેવલોકમાં તાજા ઉત્પન્ન થયેલા દેવને દેવીએ પૂછે છે કે તમે કેવા પુણ્ય કર્યા કે જેથી અહીં ઉત્પન્ન થયા. ત્યારે એ દેવ રાવધિજ્ઞાનને ઉપગ મૂકીને જુવે છે ત્યારે એના પૂર્વના સ્નેહીઓને પિતાને માટે ગુરતાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy