SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ પણ અનેક ભવમાં રક્ષણ કરનાર છે. જિનવાણીનું રક્ષાબંધન એ જ સાચું રક્ષા બંધન છે. આજે તમે બધાં કાંડે રાખડી બાંધીને આવ્યાં છે. ઘણું ભાઈએ બહેનને પિતાને ઘેર બેલાવી હશે. અને ઘણી બહેને ભાઈ હશે જ નહિ. અને કંઈકને ભાઈ હશે તે ભાઈ બહેનને બોલાવતે નહિ હોય. મહાભારતને એક પ્રસંગ છે કે આ રાખડી બાંધવાની પ્રથા કયારથી શરૂ થઈ એ તમે જાણે છે ! જ્યારે અર્જુનને પુત્ર અભિમન્યુ યુદ્ધે જાય છે તે વખતે માતા કુંતાએ અભિમન્યુને અમર રાખડી બાંધી હતી. અભિમન્યુ જે યુદ્ધ જઈ રહ્યો હતો તે ભયંકર સાત કઠાનું યુદ્ધ હતું. અભિમન્યુને આત્મા આગલા ભવમાં એની માતાના ગર્ભમાં હતો તે વખતે એના પિતાએ કઈ પણ કારણથી કે ગુનાથી કૃષ્ણ મહારાજાએ મારી નાખેલા. ત્યાર બાદ તેને ઘેર પુત્રને જન્મ થાય છે. આ છોકરે મોટો થતાં એક વખત ગેડી દડે રમી રહ્યો હતો. ત્યારે એક ડોશીમાની છાતીમાં દડો વાગે છે ત્યારે ડોશીમા કહે છે ને બાપા! આટલું જોર શાને કરે છે ! આ વચન છેકરાને હાડ હાડ લાગી ગયું. શું હું નબાપ છું? જેની મા વ્યભિચારિણી હોય એ નબાપ કહેવાય. મારી મા સતી છે. ઘરે આવીને માતાને પૂછે છે બા ! મારા પિતાજી ક્યાં છે? આ સાંભળી માતાની આંખમાં દડદડ આંસુ આવે છે. જવાબ આપતી નથી. જ્યારે દિકરે ખૂબ હઠ કરે છે ત્યારે કહે છે બેટા ! આપણા રાજા કૃષ્ણજી ખૂબ ન્યાયી છે. દયાળુ છે, પ્રજાને પ્રેમી છે. પણ તારા પિતાજી સાથે પૂર્વનું વેર હોય કે કોઈ ગુને હોય ગમે તે હોય પણ તું ગર્ભમાં હતો ને તારા બાપુજીને કૃષ્ણ મહારાજાએ મારી નાંખ્યા છે. આ છોકરાને ખબર પડી. એને ચાનક લાગી. બસ, હવે હું એ કૃષ્ણને શોધીને મારી નાંખુ, એણે મારા બાપુજીને શા માટે મારી નાંખ્યા ! માતા કહે છે બેટા ! આપણાથી એવું ન કરાય. એ તે રાજા મહારાજા કહેવાય. પણ આ છેક માતાની વાત સાંભળતા નથી. એ તે ઘરની બહાર નીકળી ગયો અને પૂછવા લાગ્યા કેઈએ કૃષ્ણ કાળીયાને જે છે! કોઈ મને કૃષ્ણ કાળીયે બતાવે. એમ બેલત ઘૂમવા લાગ્યા. આમ કરતાં એક દિવસ એને કૃષ્ણ પિતે જ મળે છે. આ છોકરે કૃષ્ણને ઓળખતે નથી. એટલે પૂછે છે ભાઈ! તમે કૃષ્ણ કાળીયાને જોયા છે? એટલે કૃષ્ણ પૂછે છે ભાઈ! તારે એનું શું કામ છે? છેકરે કહે છે એણે મારા બાપને મારી નાંખે છે. માટે મારે પણ મારા બાપનું વેર લેવું છે. આ લેકેને પૂર્વનું વેર ચાલ્યું આવે છે. વેર એ મહાન કર્મબંધનું કારણ છે. રાઇધિનિ મહત્માન” માટે કેઈની સાથે વેર બાંધશે નહિ. જુનું વેર હોય તે છેડી દેજે અને ખમતખામણાં કરી લેજે. કૃષ્ણ સમજી ગયાં કે જે શ્રેષ્ઠીને મેં મારી નાખે છે તેને જ આ છેક હવે જોઈએ. આ વેર શું કરે છે ! કૃષ્ણ કહે છે ભાઈ! હું તને
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy