SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પણ કેવી કરે છે તે પણ બધી જ શરતે તમે મંજુર કરે છે. પણ આત્માને કર્મની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ભગવંતે જે જે શરતે મૂકી છે તેને સ્વીકાર કરવાનું મન થતું નથી. કારણ કે પાંચ ઈન્દ્રિયે અને છ મન એને ગુલામ બની ગયેલ છે. ઈન્દ્રિય અને મનનું કહ્યું કરવા માટે જાતને ગીરવી મૂકી દેવા તૈયાર થાય છે. કદાચ ઉપલે માળ ખાલી થઈ ગયા હોય તે ખેર! એને ખાલી રાખે પણ અંદર બીજાને બેસાડો નહિ. મનનું કહ્યું કરે નહિ. તમારા માથે પરદેશની ગુલામી ઉભી છે. સ્વદેશની મૂંઝવણ છે. અને કર્મની ત્રિકાલાબાધિત ગુલામી છે. તેને છેડે. આજે વિદ્યાર્થીઓ કહે છે અમારે શિક્ષકની પરતંત્રતા ન જોઈએ. પત્ની કહે છે પતિની પરતંત્રતા ન જોઈએ. નેકર કહે છે મારે શેઠની પરતંત્રતા ન જોઈએ. અહીં બધે જ પરતંત્રતા લાગે છે. પણ કર્મની પરતંત્રતા સાલતી નથી. કર્મને આધીન અને ઇન્દ્રિઓને વશ થયેલે આત્મા જ ખરે ગુલામ છે. પાંચ ઈન્દ્રિઓ અને છઠું મન એ આત્માના નેકરે છે. પણ અત્યારે તે આત્મા જ નેકર બની ગયો છે. આજે નોકરોનું જ સામ્રાજ્ય વ્યાપી ગયું છે. મન રૂપી નેકર કહેશે ચાલે ફેન્ટા પીવા જવું છે. તે તૈયાર. કોકા કોલા પીવા જવું હોય તો તૈયાર. આ બધી ગુલામી જ છે ને ? બાપ પિતાના પુત્રને કહે બેટા ! તું દુકાને બેસી જા. આપણે ઈજનેર બનવું નથી. આપણે ક્યાં ઝાઝા પટ ભરવા છે? આપણે શાન્તિથી ખાઈ શકીએ તેટલું દુકાનમાં મળી રહેશે. ત્યારે દિકરે કહેશે કે હું તમે કહો તેમ કરવા તૈયાર નથી. હું તો મને ગમશે તેમ કરીશ જોઈને આ તમારી સ્વતંત્રતા. તમે તમારા પુત્ર ઉપર તમારી હકુમત ચલાવી શકતાં નથી. ઈન્દ્રિય પર અંકુશ રાખી શકતાં નથી. શું આ સ્વતંત્રતા છે કે પરાધીનતા? અંગ્રેજ સરકારે ભારત ભૂમિ ઉપર કેટલા વર્ષો રાજ્ય કર્યું? ફક્તત દોઢસો વર્ષ એણે ફક્ત દોઢસો વર્ષ ભારત ઉપર તેની સત્તા જમાવી. અને ભારનને એની પરતંત્રતા લાગી એટલે બ્રિટીશની ગુલામીમાંથી મુક્ત બનવા માટે ભારતની જનતાએ કેટલે પુરૂ ષાર્થ કર્યો, કેટલાં યુવાનેનાં લેહી રેડી દીધા. કેટલાં પીઠીભર્યા યુવાને ખતમ થઈ ગયા. કેટલાંને જેલના સળીયા ગણવા પડ્યાં. કેટલાને લાઠીને માર ખા પડે. કંઈકના ઉપર ટીયર ગ્યાસ છોડ્યાં. એ ગ્યાસની કાળી વેદના સહન કરવી પડી. દોઢસો વર્ષની અંગ્રેજની ગુલામીમાંથી મુક્ત થવા અને સ્વતંત્રતા મેળવવા આટલું સહન કરવું પડયું. છતાં પણ હજુ પુરી સ્વતંત્રતા મળી નથી. સ્વતંત્રતાના બહાને સ્વચ્છેદો વધી રહ્યા છે. અંગ્રેજોથી પણ વધુ કનડગત કરનાર દુશ્મને હોય તે તે આપણું કર્મો છે. - આપણું ઉપર મેહનીય કર્મે દોઢસે, બસ કે પાંચસો વર્ષોથી નહિ પણ અનંતકાળથી સામ્રાજ્ય જમાવ્યું છે. અંગ્રેજના રાજ્યમાં જે કષ્ટ સહન કર્યું નથી તેનાથી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy