SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન......નં. ૨૬ શ્રાવણ સુદ ૧૧ ને બુધવાર તા. ૧૨-૮-૭૦ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ અને બહેના ! ત્રિàાકીનાથ, વિશ્વવનીય, સર્વજ્ઞ ભગવંતે કેવળજ્ઞાન અને કેવળર્દેશન પ્રાપ્ત કર્યાં પછી જ જગતના જીવાને ઉપદેશ આપ્યા છે. સર્વજ્ઞ ભગવંતા ત્રણે કાળ અને ત્રણે ભુવનની વાત જાણી દેખી શકે છે. તેમનાથી એક પણ વાત છાની રહેતી નથી. ખત્રીસ સૂત્રમાં, ઉત્તરાધ્યયન સૂત્ર મૂળ સૂત્ર છે. તેમાં સૌથી પ્રથમ પ્રભુએ બતાવ્યુ છે કે ધમ નુ મૂળ વિનય છે. જે વિશેષ પ્રકારે આત્માને શુદ્ધિ તરફ લઈ જાય છે, તેનું નામ વિનય છે. જો તમારી પાસે વિનયની વાટ અને જ્ઞાનના પ્રકાશ નહિ હાય તા જીર્ણમાં ભયંકર અંધકાર વ્યાપી જશે. આજે જ્યાં ને ત્યાં અશાંતિ અને ઉકળાટ ઢેખાય છે તેનુ કારણુ વિનયે જીવનમાંથી વિદાયગીરી લીધી છે. આજે એકેક માનવીમાં વિનય વચ્ચે ડેાય તા ઘર-ઘરમાં અશાંતિ ન ઢાય. સત્ર શાંતિ જ દેખાય. વિનયવાન આત્મા પેાતે શાંતિથી જીવન જીવે છે અને એની સાથે રહેનાર પણ શાંતિના સુધારસ પીવે છે. પછી કાઈ જાતની અશાંતિ થાય ખરી? અહી' ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં ભૃગુ પુરાહિતના બે પુત્રો પણ વિનયવાન છે, અને પુત્રોને સંતના સમાગમ થયા. સંતના સમાગમથી અને પૂના સંસ્કારથી તેમના જીવનમાં પિરવત ન થઈ ગયું. તેમણે સ ંતાને વિનયપૂર્ણાંક વંદન કર્યું. અને સતના ઉપદેશ સાંભળ્યેા. જીવનમાં જ્ઞાન કે ખેાધ કચારે ટકે છે ? જ્યારે વિનય આવે છે ત્યારે. કદાચ તાકાલિક જ્ઞાન તમે મેળવી લીધુ હશે પણ જો તે જ્ઞાન વિનય વિના લીધું હૅશે તેા લાંખે સમય ટકી શકશે નહિ. વિનયપૂર્વક લીધેલું જ્ઞાન મનુષ્યના જીવનમાં ટકે છે. જ્ઞાન લેતી વખતે નાના-મેાતાના ભેદભાવ ન હેાવા જોઈએ. ગ્રંથકારની એક વાત છે શ્રેણીક મહારાજાના એક બગીચા હતા તેમાં એક આંખે એવા હતા કે જે મારે માસ ફળતા હતા. કાયમ તેના ઉપર કેરી આવતી હતી. વિનયપૂર્ણાંકનુ" જ્ઞાન પણ સદા ફળ આપે છે. એ ગામમાં ઝાડુ વાળનાર ભગીની સ્ત્રી ગર્ભ`વતી હતી. એક વખત તેને કેરી ખાવાના દેહદ ઉત્પન્ન થયા. એના પતિને કહે છે મને કેરી લાવી આપા. ને વૈશાખ મહિના હોય તેા કેરી મળે પણ આસે। મહિનામાં કેરી કયાંથી મળે? કોઈ હિસાબે કેરી મળતી નથી. આ ખાઈને કેરી ખાવાના ઢાદ ઉત્પન્ન થયા છે. અંદૂરની તીવ્ર ભાવના જાગી છે. એ માંગ પૂરી થતી નથી. એટલે માઈનુ શરીર દિવસે દિવસે સુકાવા લાગ્યું.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy