SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ ધર્માંની આરાધના કરી લેા. આવા અવસર ફરી ફરીને નહિ મળે. મનુષ્ય જન્મમાં ધમનું આચરણ એ જ અમૃત છે. કદાચ ધ'નું આચરણ કરતાં કષ્ટ આવી જાય તે પણ એ અમૃતના ફળના વિચાર કરીને હપૂર્વક ધને અંગીકાર કરો. જ્યારે તમારા અંતરાત્મામાં લગની લાગશે ત્યારે તમે કષ્ટને ફૂલ સમજીને સહ ધર્માંના સ્વીકાર કરશેા. પણ હજી એ જાતની લગની લાગી નથી. હજી સુધી જે કંઈ ધર્મનું આચરણ કર્યું છે તે બધું બાહ્યભાવે જ કયું છે. આ જીવ ખુદ તીર્થંકર પ્રભુની વાણી સાંભળવા માટે તી કરના સમેાસરણમાં પણ જઈ આવ્યે છે. છતાં એના ઉદ્ધાર નથી થયેા. એનું કારણ શુ? એણે તીર્થંકરના સમાસરણની રચના જોઈ, પ્રભુની ભાષા કેવી છે, છત્રો કેવા છે ને ચામર કેવા વીંઝાય છે! આ બધી માહ્ય ઋદ્ધિ જોઇ છે પણ આત્મિક ઋદ્ધિ જોઈ નથી. પ્રભુની વાણીમાં શુ' ભાવ છે, એ સાંભળ્યા પછી શું આચ રવાનું છે અને શુ' છેડવાનુ છે એના વિચાર નથી કર્યાં એટલે જ આ ભવમાં ભમી રહ્યો છે. જેને સાચી લગની લાગી છે, ભવભ્રમણથી ત્રાસ ઉત્પન્ન થયા છે એવા ભૃગુ પુરાહિતના એ લાડીલા કુમારા દેવભદ્ર ને જશેાભદ્ર જેમણે એક જ વખત સંસાર ત્યાગી વિષયાથી વિરક્ત અને ધર્મના ઉપદેશક એવા સંતેાના દંન કર્યાં અને ત્યાગ માગ ની લગની લાગી. એટલે એની માતાને કહે છે હું માતા! અમને સ'સારના ભય લાગ્યા છે. હવે આ અને બાળકો શુ કહે છે ! " जाई जरा मच्चु भयामिभूया, बहिं विहारा मिनिविठ चित्ता । संसार चक्कस विमोक्खणठ्ठा, दट्ठूण ते कामगुणे विरता ॥ ગાથા ૪ આ બાળકોના અંતરમાં ત્યાગ માની ભાવનાની ભરતી આવી છે. એમને જન્મ, જરા અને મૃત્યુનો ભય લાગ્યા છે અને સંસારથી ખહાર મેાક્ષ સ્થાનમાં પેાતાનું ચિત્ત સ્થાપન કર્યુ છે, એવા અને કુમારેશ સાધુઓને જોઇને સ'સાર ચક્રથી મુક્ત થવા માટે તત્પર બન્યા છે. જન્મ, જરા અને મરણનાં ભયથી ભયભીત બનેલા કુમાર કહે છે પિતા ! અમને ભય લાગ્યા છે. માહમાં પડેલા પિતાને ખબર નથી કે મારા પુત્રને શેના ભય લાગ્યું છે. માતા-પિતા કહે છે હે પુત્ર! તમને શેના ભય લાગે છે? શું તમને કોઈ એ -આંગળી ચીત્રી છે? તમે જગલમાં રમવા ગયા અને કોઈ વાઘ-સિંહના ભય લાગ્યા છે? કોઈએ કડવા શબ્દ કહ્યો છે? જે હાય તે કહેા. હું બધા ભય દૂર કરી નાંખુ. ભૃગું પુરસહિતને આ કાનુ` મળ છે ? આ શબ્દો કેમ ખેલી શકે છે? એને ઈંકાર રાજાનું પીઠબળ છે. ભેંસ ખીલાના આધારે કૂદે છે. ભૃગુ પુરાહિત, પાતે તા નાના છે, પણ એ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy