SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુઓ! પિતાની જાતના બલિદાને પણ ગરીબાઈમાં રામજીએ કેટલી અમીરી બતાવી અને શેઠને પિતાની ખાનદાનીનું ભાન કરાવ્યું. હવે ધનવાન કેણ ને ગરીબ કોણ! અનેક સંકટની હારમાળામાં ઉભેલ માનવ પિતાનું સર્વસ્વ આપીને બીજાને સંતોષે છે તે જ સાચે ઉદાર હૃદયવાળે છે, સમય થઈ ગયો છે પણ આજે રવિવારે દિવસ છે. એટલે તમારે શાંતિને દિવસ છે. હવે શું વિશાળ હૃદય – પોતે ન ખાતાં બીજાને ખવડાવી દેવું તે વિશાળ હૃદયની વ્યાખ્યા છે. વૃક્ષે પોતે ફળે છે, ફલે છે પણ પિતે પિતાનાં ફળ ખાતાં નથી. પણ મનુષ્યને ખવડાવે છે, નદીઓ સ્વયં વહે છે. પણ પિોતે પાણીમાંથી એક ટીપું પાણી પીતી નથી પણ બીજાની તૃષા છીપાવે છે. રામચંદ્રજી પિતાની આજ્ઞાનું પાલન કરી ચૌદ વર્ષે પાછા અયોધ્યા નગરીમાં આવે છે. ત્યારે પ્રજા રામચંદ્રજીનું સ્વાગત કરી નગરીમાં લાવે છે. સૌના મુખ ઉપર આનંદ છવાઈ રહ્યો છે બધા આવ્યાં છે પણ એક માતા કૈકેયી દેખાતી નથી. ત્યારે રામચન્દ્રજી સિંહાસન છેડીને માતા કૈકેયી પાસે આવે છે. કૈકેયી પિતાના મહેલના ખૂણામાં બેસી ખૂબ રડે છે. ત્યારે રામચંદ્રજી કહે છે. અહીં માતાજી! તમે શા માટે રડે છે! બેટાં હું તે અભાગણી છું. હું તને મારું સુખ બતાવવાને લાયક નથી. મેં તને વનવાસ આપી મહાન અપરાધ કર્યો છે. જ્યારે કૈકેયી આ પ્રમાણે બોલે છે ત્યારે રામના મુખમાંથી શબ્દો સરી પડે છે. હે માતા ! તું શા માટે ઝરે છે! રૂદન કરે છે. માતા, મને જે કૌશલ્યાએ નથી આપ્યું છે તે આપ્યું છે. તારે મારા ઉપર અનહદ ઉપકાર છે, આજે અયોધ્યાની પ્રજા મારું સ્વાગત કરતી હોય તે તે તારો પ્રતાપ છે. રાવણની આસુરી પ્રકૃતિને હણીને લંકા ઉપર વિજય મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય તે માતા ! તારો પ્રતાપ છે. સીતા સતી તરીકે વિખ્યાત થઈ હોય તે તે પણ તારે જ પ્રતાપ છે. પિતાની આજ્ઞાનું પાલન કરવાનું ભાગ્ય મળ્યું તે પણ માતા તારો પ્રતાપ છે. ચૌદ વર્ષ વનમાં રહી પ્રકૃતિના ખોળે આનંદમાં ચૌદ વર્ષ વીતાવ્યા હોય તે તે તારાં પ્રતાપ છે. માતા ! તારે ઉપકાર હું આ જિંદગીમાં વાળી શકું તેમ નથી. એમ રામ ચંદ્રજીએ મીઠા શબ્દોથી કૈકેયીને શાંત કરી. હવે રામચંદ્રજીનો જ્યારે ગાદી પર અભિષેક થવાનો છે ત્યારે પ્રજાના હૈયામાં આનંદની ઉર્મિઓ ઉછળી રહી છે. ત્યારે રામચંદ્રજીના મુખ પર આનંદને બદલે વિષાદની રેખા છવાઈ છે. ત્યારે પ્રજાજને કહે છે શું ! આપને અમને મિઠાઈ ખવડા થવાનું મન નથી, એટલે જ આપના મુખ પર સહેજ પણ આનંદ નથી. ત્યારે સુ કહે છે–મને એક વાત ગમતી નથી, શા. ૨૨
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy