SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ વાળે છે. આ વાક્યના પરિણામે આજે ધર્મભાવના નષ્ટ થતી જાય છે. જનસેવાને સાચો અર્થ એ છે કે કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના જગતના જીવને સાચો રાહ સમજાવે. વીરની દેશનાનું ધન આપવું. વીતરાગના વારસદાર એવા સંતે તમને કંઈક દેવા માટે આવ્યા છે. તેઓ કહે છે કે હે આત્મબંધુઓ ! આ સંસારની કઈ પણ વસ્તુ તમને કદી પણ આશ્વાસન આપી શકે તેમ નથી. પણ રમે રોમથી તમે રાગ-દ્વેષને નાશ કરો. આ દેશના એજ જનસેવાને સહેલામાં સહેલે અને છેલ્લામાં છેલ્લો ઉપાય છે. જે રાગ-દ્વેષ આદિ ભાવ શત્રુઓ જીતે છે તે જ સાચો વીર બની શકે છે.' સૂયગડાંગ સૂત્રમાં ભગવંતે ફરમાવ્યું છે કે હે આત્માઓ! તમે મોહનિદ્રાને ત્યાગ કરી જાગૃત બને. “સંબુજઝહ કિ ન બુજઝહ, સંબેહી ખલુ પેશ્ય દુલહાર ને હવણુમંતિ રાઈઓ, નો સુલભં પુણરાવિ જીવિયં | સૂ. અ-૨ ગા. ૧. ઉ. ૧ આવા બેધિબીજની પ્રાપ્તિ કરવાનો અવસર તમને ફરી ફરીને નહિ મળે. તમે કલદારની પ્રાપ્તિ કરવામાં કાલની રાહ જોતાં નથી. ત્યાં તે એ વિચાર કરો છો કે આવી નાણાં કમાવવાની સીઝન ફરી ફરીને નહિ મળે. સખત ગરમી પડતી હોય, દુકાનમાં પરસેવાથી રેબઝેબ થઈ ગયા છે, આકુળ વ્યાકુળ થઈ ગયા હો, અને દુકાનમાં કુલ ઘરાકી હોય છે ત્યારે તમે એમ વિચાર નથી કરતા કે હવે કાલે પૈસા કમાઈશું તે જ્યાં કમની જંજીરો તોડવી છે, ત્યાં કાલની રાહ કેમ જવાય! : માણસ બહેરે હોય, મૂંગે હોય કે અંધ હોય તે પણ તેને કેળવણી આપવામાં આવે તે તે ધન કમાઈ શકે છે. માં માણસ પથારીમાં રહીને પણ બીજાને સૂચના અને સલાહ આપીને પૈસા કમાઈ શકે છે. પગે લુલ હોય તે પણ ખુરશીમાં બેસી ફેન કરીને પૈસા કમાઈ શકે છે. અંધ માણસે પણ ગ્રેજ્યુએટ થાય છે અને તે પૈસા કમાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેની ઈન્દ્રિયે હિન હોય છે તે માણસ પૈસા કમાઈ શકે છે, પણ જેની ઈન્દ્રિયે હિન હશે તે માણસ ધર્મઆરાધના કરી શકશે નહિ. કર્મના મેદાનમાં શૂરવીર હોય તે જ ઉભું રહી શકે છે. જ્યારે યુદ્ધભૂમિમાં જવાનું થાય ત્યારે કેણ જય! જેનું શરીર સશક્ત હોય, તલવારના ઘા સહન કરવાની જેનામાં તાકાત હોય તે જ રણમેદાનમાં જઈ શકે છે. તેમ આ કર્મમેદાનમાં પણ ગમે તેવી મુશીબતેને સામને કરવું પડે તે પણ જે ડરે નહિ તે જ ઉભે રહી શકે છે. અહીં કાયરનું કામ નથી. - તમને હજુ કર્મને કાંટે ખટકો નથી. કર્મને કાંટે કાઢવાનો ઉપાય કેણ કરે? જેને કર્મ એ શત્રુ છે તે સમજાય જેમ પગમાં એક નાનકડે કાંટો વાગ્યો હોય પણ તે જ્યાં સુધી તમને ખટકતો નથી, દુઃખદાયી લાગતું નથી ત્યાં સુધી તમે તેને કાઢવા પ્રયત્ન ૧૪ શા,
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy