SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે આપણે મહીંથી ચવીને કયાં ઉત્પન્ન થઇશુ ? અવધિજ્ઞાન વડે જોતાં ખખર પઢી કે આપણે મનુષ્ય થઇશુ. સમકિતી આત્માને દેવલાકમાંથી મનુષ્યભવમાં જવાનું થાય ત્યારે અપૂર્વ આનંદ આવે. કારણ કે આત્મ-સાધનાનાં સાધના મનુષ્યભવમાં મળે છે. તે સામગ્રી બીજે કયાંય મળી શકતી નથી. જોતાં ખબર પડી કે આપણે બ્રાહ્મણને ઘેર . જન્મીશું, ત્યાં તે આપણને જૈન ધર્મની પ્રાપ્તિ થવી જ મુશ્કેલ છે. કારણ કે બ્રાહ્મણા તા વેદ પુરાણને માનનારા હોય છે. અને આત્માની સાધના માટે જો સર્વોચ્ચ સાધન હાય તા તે એક વીતરાગના પ્રરૂપેલે જ માર્ગ છે. હવે જ્યાં જન્મવાનું છે ત્યાં જ જન્મવાનુ છે. એમાં મીનમેખ ફેર પડવાના નથી. પણ આપણે કઈક કરીએ એમ વિચારી અને દેવા મનુષ્યનું રૂપ લઇને મૃત્યુ લેાકમાં આવે છે. અહીં ભૃગુ પુરેાહિત અને યશાભાર્યાં પેાતાને પુત્ર નહિ હાવાથી તલસે છે. પુત્રપ્રાપ્તિની ઝંખના કરી રહ્યા છે, કે અહા! ધન-વૈભવના પાર નથી પણ તેના ભાગવનાર કાઇ નથી. ભાઈએ કરતાં અહેના પુત્ર માટે વધુ પાગલ હૈાય છે. સંતાન માટે પથ્થર તેટલાં દેવ કરે છે. પણ તેને ખખર નથી કે સતાના કયાં સ્વગે પહોંચાડવાના છે! પહેલાં એવા રિવાજ હતા કે પરણ્યા પછી પાંચ દશ વર્ષ સુધી જે સંતાન ન થાય તા બીજી સ્ત્રી પરણતાં એટલે પત્નીને તે જીવતા શેક આવે. અત્યારે ગવર્નમેન્ટ ઠીક કર્યુ છે કે એક પત્ની ઉપર ખીજી પત્ની ન લાવવી, અહી ભૃગુ પુરોહિતની યશાભાર્યાં પુત્ર પ્રાપ્તિ માટે પાગલ બનીને ફાંફા મારે છે. તે સમયે આ બંને દેવા બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવે છે. અને કહે છે: અમે ભૂત, ભવિષ્ય અને વતમાનકાળની વાત જાણીએ છીએ. જેને જોષ જોવડાવવાં હાય તે આવે. જ્યાં આવું કંઈક આવે ત્યાં અમારી બહેનાના નબર પહેલા લાગે. મધા બહેનેા જલ્દી ભેગા થઈ જાય. અરે! ભાઈએ પશુ દોડતાં આવે. એક ભિખારી જેવા એઠા હાય અને જોષ જોતા હાય તા તેની પાસે હાથ જોવડાવવા પણ તૈયાર થઇ જાય. તમે વિચાર કરે। કે જે બધું જોઇ તે છે તે, એનુ પહેલાં ન જોઇ લે! તે તમારા પર શા માટે ભીખ માંગવા આવત ! બધુએ! સમજો. આત્મા જન્મ્યા પહેલાં છ ખેલ ખાંધીને આવ્યા છે. (ગતિ, જાતિ, સ્થિતિ, અવગાહના, પ્રદેશ અને અનુભાગ) તેમાં તેને વિશ્વાસ નથી એટલે ફ્રાંફા મારે છે. જેટલી પૌઢગલિક પદાર્થની તમને શ્રદ્ધા છે તેટલી જ્ઞાનીના વચન ઉપર નથી. જેને જ્ઞાનીના વચન ઉપર શ્રદ્ધા છે તે પૈસા માટે અને સંતાન માટે જ્યાં ને ત્યાં ભીખ માંગતા ફરે નહિ. અહી' યશાભર્યાં બ્રાહ્મણાને હાથ બતાવે છે ‘ મારા નશીબમાં સંતાન છે કે નહિ ? આ બ્રાહ્મણા કહે છે, માતા ! તારે હાથ બતાવવાની પણ જરૂર નથી, અમે વગર હાથ જોયે કહીએ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy