SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ દેવલોકમાંથી ઍવીને છ આત્માઓ પુકાર નગરીમાં ઉત્પન્ન થયાં છે. તેમાં પ્રથમ ઈષકાર રાજા છે. જેની કીર્તિ ચારેય દિશામાં ફેલાયેલી છે. બીજી તેની પત્ની કમલાવતી રાણી છે. ત્રીજે ભૃગુ નામનો પુરેહિત અને તેની યશા નામની સ્ત્રી એ ચાર ઉત્પન્ન થયાં છે. અને તે ભૂગુ પુરોહિતને ઘેર બે પુત્રે ઉત્પન્ન થશે. જે નગરમાં ધર્મના કુવારા ઉડતા હોય ત્યાં પવિત્ર છે આવીને ઉપજે છે. તમે બગીચામાં જઈને બેસે છે ત્યાં પાણીને હેજ હોય, હોજમાં ફુવારા ઉડતા હેય, . પવન આવી રહ્યો હોય ત્યાં તમને આનંદ આવે છે ને? તેમ ધમી છને ધર્મના તપ-ત્યાગના ફુવારા ઉડતા હોય ત્યાં જ આનંદ આવે છે. તમારો આનંદ તે ક્ષણિક છે. કમનું બંધન કરાવનાર છે. ત્યારે આત્માને આનંદ કાયમ માટે ટકી રહે છે અને કર્મોના બંધન તૂટે છે, તે જીવેના પુણ્યદય છે. સુખ-સંપત્તિમાં કમીના નથી છતાં તેમાં ન રાચતાં પુરૂષાર્થ કરી મોક્ષ નજીક કરી લીધે, પુકાર નગરી કેવી રમણીય છે તેનું વર્ણન તે આગળ આવી ગયું છે. રાજા પણ પવિત્ર છે. ન્યાય નીતિ સંપન્ન છે. જ આ છ એ આત્માઓને પૂર્વને સંબંધ છે, એટલે આ ભવમાં પણ કે સંબંધ થાય છે. એક આત્મા ઇષકાર રાજા બને છે અને બીજો ભગ પુરહિત બને છે. તે રાજ પુરોહિત છે. રાજાને ખૂબ માનનીય છે અને પૂર્વના સંબંધને લઈને રાજા ભગુ પુરોહિતને અઢળક સંપત્તિ આપે છે. રાજા પાસે ભગપુરહિતનું ખૂબ માન છે, એટલે જે સુખસગવડ જોઈએ તે બધીજ રાજા તરફથી તેને મળી જાય છે, કારણ કે રાજાની મહેરબાની છે. રાજા રીઝે તે શું બકી રહે! કહેવત છે કે– દેશપતિ જબ રીઝત હૈ તબ દેત ગામ કરતે નિહાલી, : ગામપતિ જબ રીઝત હે તબ દેત ખેત કે વાડી, ખેતપતિ જબ રીઝત હૈ તબ દેત ધાન પાલી દે પાલી, બનીયાભાઈ જબ રીઝત હે તબ દેત તાલી દે તાલી. ” રાજા રીઝયે તે પુરોહિતનું કામ થઈ ગયું. ગામને માલિક જે ખુશ થાય તે વીઘા બે વીઘા જમીન આપી દે પણ તમે રીઝે તે (હસાહસ) વાણીયાભાઈ રીઝે તે તાળી પાડીને હસીને પતાવી દે. બંધુઓ ! વાણીયા માટે આ એક કલંક છે. મારા રાજકેટના શ્રાવકે, તમે અમને એવું કરી બતાવો કે અમે હસીને તાળી આપીને પતાવીએ એવા નથી, એવું કરી બતાવે કે સંતે ચાતુર્માસ કરવા આવે. એ તમારા સદગુગ જોઈને વિચાર કરે અને કહે કે રાજકોટના શ્રાવક એટલે શ્રાવકે છે. સાધુને તમારાં નાણાં કે મોટર-ગાડી નથી જોઈતાં. તમારા દિકરા દિકરી પણ ઉપાડીને લઈ જવાના નથી. જે ઉપદાન તૈયાર હાય અને ભગવાનની વાણી રૂચે અને વૈરાગ્યભાવ આવી જાય તે સાધુ કહે કે “અહ સુર્ય દેવાણપિયા મા પડિબંધકરેહદેવાનુપ્રિય! તમને સુખ ઉપજે તેમ કરે, સારા કાર્યમાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy