________________
૩૦૪
આવ્યા પછી પ્રધાન વગેરેના સમજાવવાથી તેઓ શાંત થયા, તે સાથેજ તેમને જગતના વિનાશી૫ણાની ખાત્રી થઈ અને દીક્ષા લેવાને વિચાર થયો. એવામાં અજિતનાથ પ્રભુ ફરતા ફરતા ત્યાં આવી ચડયા; સગરે તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યારબાદ ખૂબ તપશ્ચર્યાઓ કરીને, ભાવનાના મહાશિખરે ચડતાં, સગર ચક્રવર્તી કેવજ્ઞાન પામ્યા. અને એકંદર ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી, તેઓ મોક્ષમાં ગયા.
૨૧૮ સગડકુમાર સહંજણ નામની નગરીમાં મહચંદ નામને રાજા રાજ્ય કરતે હતો. તે નગરીમાં એક સુદર્શન નામની વેશ્યા રહેતી હતી. સુભદ્ર નામનો એક મોટા શાહુકાર પણ રહેતો હતો. આ શાહુકારને પોતાની ભદ્રા નામની સ્ત્રીથી એક પુત્ર થયો હતો. તેનું નામ “સગડકુમાર’. એક સમયે પ્રભુ મહાવીર તે નગરીમાં પધાર્યા. ગોચરી અર્થે શ્રી ગૌતમ સ્વામી નીકળ્યા. તેમણે નીચે પ્રમાણે રાજમાર્ગ પર એક દશ્ય જોયું.
‘ઘણું હાથી ઘોડા અને માણસોની વચમાં એક સ્ત્રી અને એક પુરૂષને બાંધી રાખ્યા હતા. પુરૂષને સ્ત્રીની પાછળ બાંધેલ અને બંનેના નાક કાન કાપી નાખ્યા હતા. તેઓ બોલતા કે અમે અમારા પાપકર્મથી મરી જઈએ છીએ. શ્રી ગૌતમ ત્યાંથી નીકળી પ્રભુ પાસે આવ્યા અને જેયેલ દશ્યની વાત કરીને પૂછયું – હે ભગવંત. તેઓ પૂર્વે કોણ હતા ? અને શાં પાપ કર્યો હતા? કે જેથી તેઓ આવું ફળ ભોગવે છે! પ્રભુએ તે પુરૂષને પૂર્વભવ વર્ણવતાં કહ્યું:-છગલપુર નામનું નગર હતું. ત્યાં સિંહગિરી નામે રાજા હતા. તે નગરમાં છનિક નામનો એક કસાઈ રહે તે હતો. તે ધનવાન હતો, પાપી હતો અને દુરાચારી હતો. તેણે પિતાના વાડામાં બકરા, બકરી, ગાય, બળદ, ભેંસ, પાડા, હરણ, રોઝ, મેર, મોરલી વગેરે લાખો જાનવરો મારવા માટે એકઠાં કર્યા હતા. બીજા