SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પુરમાં અદીનશત્રુ રાજાને આશ્રયે ગયો. ત્યાં તેણે મસ્જિકુંવરીનું રૂપ ચિતરી રાજાને બતાવ્યું. રાજા મહાધિન બને. મલ્લીકુંવરી સાથે લગ્ન કરવાની ઈચ્છાથી રાજાએ કુંભરાજા પાસે પિતાનો દૂત કલ્ય, અને એ રીતે તે સ્વયંવર મંડપમાં ગ.. (વૃતાન્ત શંખ રાજાને મળતું). ત્યાંથી પાછા ફરી અદીનશત્રુએ દીક્ષા લીધી અને મેક્ષમાં ગયે. ૧૨ અનાથો મુનિ. કૌશંબી નગરીના ધન સંચય નામક શ્રેષ્ઠિના તે પુત્ર હતા. યુવાવસ્થા થતાં પિતાએ તેમને પરણાવ્યા હતા. પુષ્કળ ધન સંપત્તિ, માતા, પિતા, સ્ત્રી, બહેન, ભાઈ અને વિસ્તૃત કુટુંબથી પરિવૃત હાઈ સર્વ પ્રકારે તે સુખી હતા. એક દિવસે તેમને આંખની અતિશય વેદના ઉપડી, અને તે વધતાં વધતાં શરીરનાં સમસ્ત ભાગો પર અનેક પ્રકારના દાઉજવરાદિ રોગો થયાં. આ રોગ મટાડવા તેમના માતા પિતાએ અઢળક ધન ખચ વૈદ દ્વારા અનેક પ્રકારના ઉપચાર કરાવ્યા; પરન્તુ અનાથીનો આ રેગ કઈ રીતે નષ્ટ ન થયા. અનાથી ચિંતાગ્રસ્ત બન્યા. એક દિવસે “આ રોગ શાથી?” એ સંબંધી અનાથીએ (અપર નામ ગુણસુંદર) વિચાર કર્યો, તે તેમને જણાયું કે “પોતાના કર્માનુસાર જ સૌને સુખદુઃખ ભોગવવાં પડે છે. આથી તેમણે એવો નિશ્ચય કર્યો કે, “જે મારી આ વેદના નાશ પામે, તે હું ચારિત્ર ગ્રહણ કરી સંસારનો ત્યાગ કરીશ.” શુભ ભાવના અને પૂર્વ યોગે તેજ રાત્રિએ તેમની આ વેદના કાંઈક શાન્ત થઇ, અનાથીને તે સત્રીએ ઉંધ આવી, અને જોતજોતામાં પ્રાતઃકાળ થતા, અનાથી સર્વ રોગોથી મુક્ત બન્યા. બીજે દિવસે સંસારના પરિતાપનું અને સંયમ માર્ગનું આબેહુબ વૃત્તાન્ત તેમણે પોતાના માતાપિતા, સ્ત્રી આદિને કહ્યું અને તે સર્વની રજા મેળવી, તેઓ દીક્ષિત બનીને ચાલી નીકળ્યા.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy