SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ જેવાને પણ સ્ત્રીપણું પ્રાપ્ત થયું અને જેનાગમમાં એક અછેટું ગણુયું. માટે માયાથી વિરક્ત બનશને આ વાર્તા સૌ કોઈને બેધ આપે છે. ૧૭૬ મહાપ. ગજપુર નગરમાં પદ્મોત્તર નામે રાજા હતા. તેમને જવાલા નામની રાણી હતી. તેમને બે પુત્રો થયા. ૧ વિષ્ણકુમાર, ૨ મહાપદ્મ. વિંષ્ણકુમારે પિતાની હયાતિમાં જ દીક્ષા લીધી હતી. જ્યારે મહાપદ્મ મહા સમર્થ હાઈ નવમા ચક્રવર્તી થયા. પિતાએ પણ દીક્ષા લેવાથી તેઓએ રાજ્યાસને આવી છખંડની સાધના કરી. તેમને નમુચી નામે એક પ્રધાન હતા. તે જૈન ધર્મને દ્વેષી હતો. એકવાર તે પ્રધાન થયા પહેલાં ધર્મ નામના રાજાની યવંતી નામક નગરીમાં સુવત નામના આચાર્ય સાથે ધર્મચર્ચા કરવા ગયો હતો, ત્યાં તે પરાજય પામે, તેથી તેણે રાત્રિને વખતે તે મુનિને સંહાર કરવાનો વિચાર કર્યો, પરંતુ શાસનદેવના પ્રભાવે તે તે સ્થળે થંભી ગયો. સવાર થતાં લેકેએ તેને તિરસ્કાર કર્યો; રાજાએ ત્યાંથી તેને કાઢી મૂકે; આગળ જતાં તે મહાપ ચક્રવર્તીને પ્રધાન થયા. અહિં તેણે યમદુર્ગ નગરના બળસિંહ નામક માંડલિક રાજાનું બંડ સમાવ્યું, તેથી પ્રસન્ન થઈને ચક્રવર્તીએ તેને ઈનામ માગવાનું કહ્યું. તે ઈનામ પ્રસંગે માગી લેવાનું પ્રધાને જણાવ્યું. એ અરસામાં પેલા સુવતાચાર્ય તે નગરમાં પધાર્યા એટલે પેલું વચન યાદ કરી પ્રધાને પોતાને માત્ર છ દિવસનું રાજ્ય આપવાનું ચક્રવર્તીને કહ્યું. મહાપમે તે કબુલ કર્યું. પ્રધાને એક માટે યજ્ઞ આરંભ્યો, તે વખતે તેણે સુવ્રતાચાર્ય પાસે ભેટ માગ્યું; પણ જેન મુનિ પાસે શું હોય ? એટલે પ્રધાને તેમને પોતાના રાજ્યની હદ છોડી જવાનું કહ્યું. આ વખતે ચક્રવર્તીના ભાઈ વિષ્ણુકુમાર, જેઓ સાધુ થયા હતા તેઓ ત્યાં હતા, તેમણે પિતાની લબ્ધિ વડે નમુચી પ્રધાનને જમીનમાં દાટી દીધો. પાછળથી તેનું
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy