SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ત્યારે કેશી સ્વામીએ કહ્યું કે સમય જોઈને તે તરફ વિહાર કરીશ. ત્યાંથી ચિત્ત સારથી શ્વેતાંબિકા નગરીમાં ગયે. પછી તે નગરીના મૃગ નામના ઉદ્યાનમાં આવ્યો અને ચિત્ત સારથીએ તે ઉદ્યાનના ભાળીને કહ્યું કે અહીંયા કેશી નામના સ્વામી પધારે તો તું વંદન કરી તેમને આદર સત્કાર કરજે. પાટ, પાટલા, મકાનનું આમંત્રણ કરજે, પછી મહને ખબર આપજે. આટલી સૂચના આપીને ચિત્ત સારથી રાજદરબારમાં આવ્યો. શ્રાવસ્તિના રાજા તરફથી મળેલું નજરાણું તેણે પ્રદેશી રાજાને ચરણે મૂક્યું. રાજા પ્રસન્ન થયે. કેટલોક સમય વીત્યા બાદ શ્રી કેશી સ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા વેતાંબિકા નગરીના મૃગ ઉદ્યાનમાં પધાર્યા. વનપાલક હેમને જેઈ વંદન કર્યું. પાટ, પાટલા વગેરે ચીજનો બંદોબસ્ત કરી આપ્યો, અને ત્યાંથી નીકળી તરતજ તેણે કેશીસ્વામી પધાર્યાની ચિત્ત સારથીને ખબર આપી. ચિત્ત સારથીનું હૃદય પિતાના ધર્માચાર્યના આવાગમનના સમાચારથી આનંદથી પ્રફુલ્લિત થયું. આસન પરથી ઉભા થઈ હેણે કેશી સ્વામીને ભાવપૂર્વક વંદન કર્યું. પછી વસ્ત્રાલંકારો પહેરી અશ્વરથમાં બેસી તે વાંદવા ગયો. ત્યાં કેશી સ્વામીને ભાવપૂર્વક નમસ્કાર કરીને તેણે કહ્યું -પ્રભુ, અમારા રાજા અધર્મી છે, તે તેમને આપ ધર્મબોધ આપે તો ઘણો લાભ થશે. ત્યારે કેશી સ્વામી બોલ્યાઃ–હે ચિત્ત, જીવ ચાર પ્રકારે કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળી શકતા નથી. (૧) આરામ અથવા ઉદ્યાનમાં રહીને સાધુ મહારાજ પાસે જઈને વંદણ નમસ્કાર ન કરે. (૨) ઉપાશ્રયમાં જઈને વંદન ન કરે, (૩) ગૌચરી અર્થે આવેલ સાધુ મુનિની સેવા ભક્તિ ન કરે, તેમને ભાવનાથી અન્નપાણી ન વહેરાવે. (૪) જ્યાં મુનિ મહારાજને દેખે ત્યાં તેમને વંદન ન કરે અને પિતાનું મહતું છૂપાવે. વળી ચાર પ્રકારે જીવ ધર્મને સાંભળી શકે છે. (૧) આરામ અથવા ઉદ્યાનમાં રહેતા થકાં વંદન કરે. (૨)
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy