SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પ્રભુએ સ્વયમેવ ચારિત્ર અંગીકાર કર્યું. છ માસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા પછી, પ્રભુએ છઠે કરીને વડ નીચે કાચેાસ કર્યાં, ત્યાં પ્રભુને ચૈત્ર શુદિ પૂર્ણિમાએ કેવળજ્ઞાન થયું. શ્રી પદ્મપ્રભુને ૧૦૭ ગણધરા હતા, તેમાં સુવ્રત સૌથી મેાટા હતા. તેમના શાસન પિરવારમાં ૩૩૦ હજાર સાધુઓ, ૪૨૦ હજાર સાધ્વીઓ, ૨૭૬ હજાર શ્રાવકો, અને ૫૦૫ હજાર શ્રાવિકાએ હતા. કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી, એક લાખ પૂર્વમાં ૧૬ પૂર્વાંગ અને છ માસ આછા, એટલા સમય ગયા ત્યારે પદ્મપ્રભુએ સમેત શિખર પર અનશન કર્યું. એક માસનું અનશન ભાગવી માગશર વદ ૧૧ ના રાજ ૩૦૮ અનશનવાળા મુનિ સાથે પ્રભુ નિર્વાણ પહોંચ્યા. તેમનું એક ંદર આયુષ્ય ૩૦ લાખ પૂર્વનું હતું. ૧૫૧ પદ્માવતી. દ્વારિકા નગરીના શ્રીકૃષ્ણ રાજાને પદ્માવતી નામે રાણી હતી. એકવાર તેમનાથ પ્રભુ ત્યાં પધાર્યાં. શ્રીકૃષ્ણ તથા પદ્માવતી વંદન કરવા ગયા. પ્રભુએ ધર્મ ખાધ આપ્યા. પદ્માવતી વૈરાગ્ય પામી ઘેર આવ્યા. ત્યાર બાદ શ્રીકૃષ્ણે પ્રભુને પૂછ્યું:—હે ભગવાન ! આ દેવલાક સમી દ્વારિકા નગરીનેા નાશ શાથી થશે ? પ્રભુએ કહ્યું:— *દ્વૈપાયન નામના અગ્નિકુમાર દેવના કોપથી તારી નગરીને * શાપુર નગરની ખહાર આશ્રમમાં પરાશર નામના તાપસ હતા. તેણે યમુના દ્વીપમાં જઈ કાઇ નીચ કન્યા સાથે ભાગવિલાસ કર્યાં. પરિણામે એક પુત્ર થયા તેનું નામ દ્વૈપાયન. દ્વૈપાયન આગળ જતાં બ્રહ્મચારી પરિવ્રાજક થયેા અને યાદવાના સહવાસમાં મૈત્રીભાવી રહેવા લાગ્યા. એકવાર શાંબ આફ્રિ કુમારે। મદિરામાં અંધ બન્યા અને તેઓએ દ્વૈપાયનને મારી નાખ્યા. મરીને તે અગ્નિકુમાર દેવ થયા. અને ક્રોધના નિયાણાથી તેણે દ્વારિકા નગરીને બાળીને ભસ્મીભૂત કરી.
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy