SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ અનુક્રમે નવમાસ પૂરા થયે બાળકના જન્મ થયા. માતાના નામ પરથી તેનું પદ્મકુમાર એવું નામ આપ્યું. ઉંમર લાયક થતાં તેને આઠ કન્યા પરણાવવામાં આવી. એકવાર ભ. મહાવીર ચંપાનગરીમાં પધાર્યાં. રાજા કાણિકની સાથે પદ્મકુમાર પણ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુની દેશના સાંભળી તેને વૈરાગ્ય થયા અને ધેર આવી માતા પિતાદિકની રજા મેળવી દીક્ષા લીધી. સ્થવિર મુનિ પાસે ૧૧ અંગ ભણ્યા. છઠ્ઠ, અમ આદિ ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. અંતિમ સમયે વિપુલગીરી પર એક માસનું અનશન કર્યું અને ૫ વર્ષનું ચારિત્ર પાળી કાળને અવસરે કાળ કરીને તેએ પહેલા સૌધર્મ નામક દેવલાકમાં એ સાગરના આયુષ્યે દેવ થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તે મેાક્ષમાં જશે. ૧૫૦ પદ્મપ્રભુ. વર્તમાન ચેાવિસીના છઠ્ઠા તીર્થંકર શ્રી પદ્મપ્રભુ કૌશાંબી નગરીમાં ધર નામના રાજાની સુસીમા નામક રાણીની કુક્ષિમાં, નવમા ત્રૈવેયક વિમાનમાંથી ચ્યવીને મહા વદ છઠ્ઠને રાજ ઉત્પન્ન થયા. માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં. માતાને પદ્મની શય્યામાં સૂવાને દોહદ થયેા; તે દેવાએ પૂરા કર્યાં. તેમના જન્મ કાર્તિક વદિ બારશના રાજ થયા. ૫૬ કુમારિકા દેવીઓએ અને ઇંદ્રોએ આવી પ્રભુના જન્મેાસવ ઉજવ્યેા. પિતાને અતિશય આનંદ થયા, અને પદ્મનાથ એવું તેમને નામ આપ્યું. તેમનું દેહમાન ૨૫૦ ધનુષ્યનું હતું. યૌવનવય પ્રાપ્ત થતાં માતાપિતાના આગ્રહથી અનેક રાજકન્યાએ સાથે તેમણે લગ્ન કર્યું. છા લાખ પૂર્વી તે કુમારાવસ્થામાં રહ્યા. પછી પિતાનું રાજ્ય ગ્રહણ કર્યું. ૨૧૫ લાખ પૂર્વ અને ૧૬ પૂર્વાંગ સુધી તેમણે રાજ્ય ભાગળ્યું, લેાકાંતિક દેવાની સૂચનાથી પ્રભુએ એક વરસ સુધી અઢળક દાન આપ્યું. પછી છઠ્ઠ ભક્ત કરી કાર્તિક વદિ ૧૩ ના રાજ
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy