SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ અદ્ભુત જ્ઞાનશક્તિથી શુક પ્રતિમાધ પામ્યા અને તેણે પેાતાના હાર પરિવ્રાજક સહિત થાવર્ચીપુત્ર પાસે જનમતની દીક્ષા લીધી. થાવાપુત્ર ધણાવાને પ્રતિષ્ઠાધ પમાડી, ઘણા વર્ષ સંયમ પાળી, ઉગ્ર તપશ્ચર્યા કરી, પાદેોપગમ સંથારા કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને સર્વ દુ:ખાથી રહિત અની સિદ્ધગતિને વર્યાં. શુક અણુગાર એકદા વિહાર કરતા કરતા શેલગપુર નગરના ઉદ્યાનમાં આવ્યા. પરિષદ વાંદવા આવી. શૈલગ નગરીના રાજા શૈલગ પણ દન કરવા આવ્યા. શુક અગારે ધર્મોપદેશ આપ્યા. રાજા ખુયેા. અને પેાતાના પાંચસેા મંત્રિઓ સાથે તેણે દીક્ષા લીધી. શુકઅણુગાર શેલગ રાજર્ષિને પાંચસો મંત્રિસાધુએ શિષ્યપણે સોંપી પેાતે એક હજાર શિષ્યા સાથે વિહાર કરતાં પુંડરિક પર્વતપર સિદ્ધ થયા. એક વખત શૈલગ રાષિને લુખ્ખા, સુકા, અનિયમિત આહાર જમવાથી તેમના કામળ શરીરમાં વેદના ઉત્પન્ન થઈ. તેમનું શરીર નિળ બની ગયું. કરતાં કરતાં તેઓ પાતાના શૈલગપુર નગરના ઉદ્યાનમાં પધાર્યાં. પરિષદ વંદન કરવા આવી. તેમાં તેમના પુત્ર મહૂક પણ આવ્યા. રાજર્ષિનું રાગિષ્ટ અને વ્યાધિમય શરીર જોઈ ને પુત્રે કહ્યું:–આપ મારી દાનશાળામાં પધારા, હું આપના આચારને યેાગ્ય દવા વગેરેથી ચિકિત્સા કરાવીશ. આપ નિર્દોષ શય્યા સંથારા વગેરે લઈ લ્યા; શૈલગ ઋષિએ કબુલ કર્યું, અને તે પેાતાના શિષ્યા સાથે શહેરમાં ગયા. તેમના પુત્રે વૈદ્ય વગેરેને ખાલાવી ઉપચાર કરાવ્યા. પરિણામે શૈલગ રાજિષના રોગ શાંત થયા. રાગ શાંત થવાથી તે વિપુલ અન્ન, પાણી તથા સ્વાદિષ્ટ આહારમાં લુબ્ધ થઈ ક્રિયા રહિત શિચિલાચારે વિચરવા લાગ્યા. અને પ્રાસુક પીઢ વગેરે જે કઈ લાવેલ તે પાછા આપ્યા નહિ. તેથી પથક સિવાયના તેમના ૪૯૯ શિષ્યા તેમને છોડીને ચાલ્યા ગયા. એક વખત શિચિલાચારી શેલગ ૧૧
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy