SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪. જોડશક [ વ્યાખ્યાન લોકો બનાવટ કરે. ચાંદીના અંગે જર્મન સિલ્વર તેમજ સેના, હીરામોતી માટે બનાવટ થઈ પ, ધૂળ લોઢા માટે બનાવટ ન થઈ. કારણ શું બનાવટ નહિં થવાનું ? કારણ તે કિંમતી નથી. બનાવટ કે નકલીને ભય કિંમતની પાછળ છે. આ બાજુ ધર્મ એ કિંમતીમાં કિંમતી ચીજ છે. કેમ? તે પિતાની ત્રણ પાઈ મળે તે પૈસે પાઈ કરતાં કિંમતી. તેવી જ રીતે આના રૂપિઆના સેળ આવે તેથી આના કરતાં રૂપિઓ કિંમતી. હવે ધન, માલ, કુટુંબકબીલ આદિ તમામ વસ્તુ ધર્મથી મળે છે. દુનિયામાં ન મળતી ચીજો પણ ધર્મથી મળે છે અને મળતી ચીજો પણ ધર્મથી જ એટલે પુણ્યથી જ મળે છે. પાઈ લઈને કોઈ પૈસે ન આપે પણ ત્રણ પાઈએ લઈ જા તે પૈસો આપે તેમ પૈસાથી ત્રણ પાઈઓ પણ આપે. અહિં એક પુણ્ય જ એવી ઉચ્ચતમ ચીજ છે કે જેનાથી સર્વ ચીજો મળે. જગતમાં કોઈ એવી ચીજ નથી કે ઇવને પંચેન્દ્રિયપણું, મનુષ્યપણું અને લાંબી આવરદા તે સર્વ ધર્મથી જ મળે છે. દુનિયામાં મળતી ચીજ ધનમાલ કુટુંબ આદિ પણ તેનાથી જ મળે છે. એક શેઠિયાને જશની ઈચ્છા પણ પિતાને અપજશને ઉદય છે તેનું શું થાય? નાત જમાડવી તે હાથની બાજી છે, તેમાં ચોવટીયાને બોલાવી નાતનું ખર્ચ પૂછયું તે દેટસે કહ્યા. પણ શઠે બસે મંજૂર કર્યા અને જશ ખાટવાની વાત કરી. આ બાજુ તૈયારી કરી. કાલે નાત જમવાની છે. “હાથનું બાળ્યું” અને “ઘરનું સમાયું’.” અહિ ચવટીયામાં કોઈ માલિક નથી છતાં જોઈ આવું તે ખરે. શિયાળાને દિન હોવાથી ઘીથી કઠણ થયેલા લાડુઓ જોયા. અહિં શેઠ ખીજયા, અને ઘી પાછું નંખાયું. ઘીની તપેલી સાથે દીવેલની તપેલી હતી તે પણ નખાણું અને રાત્રે લાડવા તે વળાઈ ગયા. સવારે જમવા ટાણે ઓરડી લાડવાની ખેલી ત્યારે લેકે દીવેલના લાડવા એમ બેલવા લાગ્યા તેથી શેઠને જશ ન મળે. અહિં ભાગ્ય વિના જશ પણ મળતું નથી. હવે સર્વ વસ્તુ પુણ્ય કે ધર્મને આધીન છે અને તેથી જગતમાં કિંમતીમાં
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy