SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું ] સદુધમપરીક્ષક ૭૩ છે તેમાં કોઈ મનુષ્ય કાળા ચશ્મા પહેરીને ઘડે દેખે તો તે કાળાપણને જ જુએ, કારણુ ચસ્મા કાળા છે. જેવું સાધન દેખવામાં મળે તેવું દેખાય. લાલ કે પીળા ચસ્મા હોય તો તેમાં તેવું દેખાય. કાચ ઊંચે નીચે હોય અને ઘડે આડે રાખેલ હોય તો પ્રતિબિંબ કાચના જેવું પડે, એટલે કાચના સ્વરૂપ ઉપર પ્રતિબિંબનો આધાર રહે છે. તેમ અહિં પણ દેવ, ગુરુ અને ધર્મ એક જ સ્વરૂપે છે. દેખનાર આત્મા ધર્મિષ્ઠ છે. તેમાં ફરક નથી, પણ દેખવાની દૃષ્ટિ જુદી હોય તેથી ફરક પડે. લિંગકારાએ દેખે તે બાળક, વર્ગને વિચારવા ધારાએ જુએ તે મધ્યમ અને તત્ત્વકારોએ દેખે તે બુધ. હવે ત્રણે કઈ શાનું દેખવા માગે છે, તે શી રીતે, અને તે સંગિક આદિ ત્રણે સ્થિતિ કેવી હોય, એ ત્રણે પરીક્ષામાં ફેર જણાવી, બુધપણું સમજી દેશના દેવાવાળે કેવી રીતે દેશના દેવી તે અધિકાર અગ્રે વર્તમાન. વ્યાખ્યાન ૮ જૈન અને અજેનેની દષ્ટિએ ધર્મ સ્વરૂપ શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરિજી મ. ભવ્યના ઉપકારાર્થે શક પ્રકરણને રચતા થકા આગળ જણાવી ગયા કે – “જા રતિ ”િ આ સંસારમાં આર્ય માત્ર ધર્મની ઈચ્છાવાળા છે. કેઈપણ આર્ય ધર્મની ઈચ્છા વગરને નથી અને તેથી પોતે ધર્મ કરતે હોય કે ન કરતે હોય પણ તેને ધર્મિષ્ટ કહે ત્યારે તે ખુશી થાય, અને અધમી કહે તે નાખુશ થાય. એટલે જ હો એ પણ હાલે શબ્દ સાંભળી ખુશ થાય છે. વળી પાપ અળખામણું હોવાથી પાપી કહેવાથી પિતે નાખુશ થાય છે. આર્યોને પાપ અનિષ્ટ છે અને પુણ્ય ઈષ્ટ છે. હવે જેમ જેમ વસ્તુ કિંમતી તેમ તેમ તેનામાં ગોટાળે હેય. ધૂળ, લેટું, તાંબા વિગેરેની બનાવટ કોઈ ન કરે. કારણ તેની કિંમત છે જ નહિં. જે કિંમતી હોય તેની જ
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy