SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ શ્રીઆચારાંગસૂત્ર [ વ્યાખ્યાન ચાલાક હેય તો લોકોને શાપરૂપ નિવડે. તેવી રીતે પ્રવૃત્તિ સારી એટલે જે શાહુકારની હેય તો લેકોને આનંદરૂપ નિવડે, પણ પ્રવૃત્તિ જે ચેરની હોય તે શ્રાપરૂપ બને. જ્ઞાન અને ચારિત્રમાં દર્શનના આધારે જ સમકિત અહીં તપસ્યા, જ્ઞાન આદિ કરનારની દષ્ટિ સમ્યરૂપ હોય તે તે આશીર્વાદરૂપ બને. આથી જ્ઞાનનું સુંદરપણું સમ્યગ્દર્શનના સુંદરપણાને લીધે છે. જ્ઞાન અને ચારિત્ર બંનેમાં સુંદરપણું છે, પણ તે સ્વતંત્ર નથી. ચારિત્ર કે જ્ઞાનનાં ઘરનાં નહિ પણ સમ્યગ્દર્શનનાં ઘરનાં જ્ઞાન અને ચારિત્ર સુંદર છે. અરીસા તેજસ્વી રાખીએ તે ઝગમગે ત્યાં જે તેજ ઝગઝગે છે તે પિતાના ઘરનું નહિ પણ દીવાના ઘરનું છે. જે દીવો ન હોય તે ઝગમગવું બંધ થાય. તેમ અહીં જ્ઞાન કે ચારિત્રમાં સ્વયં સમ્યફપણું નથી, પણ સમકિતે વિસાવેલું સમ્યફપણું જ્ઞાન અને ચારિત્રમાં છે. તેથી એકલા સમ્યગૂદર્શનને જ સમક્તિ કહેવામાં આવે છે. જ્ઞાન અને ચારિત્રને સમકિત નહિ કહેવામાં તાત્પર્ય એ જ છે કે પિતાનામાં સ્વતંત્ર સમકિત નથી પણ દર્શનના આધારે સમકિત રહેલ છે. સમ્યગ્દર્શનમાં જે સુંદરતા છે તે સ્વતંત્ર સ્વાધીન છે, પણ પરાધીન નથી. અર્થાત સમ્યગ્રદર્શન તે સ્વયં સમ્યફ છે, પરંતુ જ્ઞાન ને ચારિત્ર પરાધીન સમ્યરૂપે છે. મોક્ષ માટે સમ્યગ્દર્શનની જરૂર | હવે આ વાત તમે યુક્તિથી કહે છે પણ દષ્ટાંત જણાવશે. ખરા? તે કહે છે કે-ગઈ કાલે દષ્ટાંતથી જણાવ્યું કે વીરસેન દરેક વિધામાં હેશિયાર છતાં આંખે અપંગ હોવાથી શત્રુના કબજામાં ગયો અને સરસેન દૃષ્ટિવાળો હોવાથી તેણે શત્રુને હઠાવ્યું અને ભાઈને છેડા. અહીં યુદ્ધના કામમાં ચક્ષુ વિનાની તાકાત કામ ન લાગે, તેમ અહીં પણ દેવલોકાદિ મેળવવા માટે જ્ઞાન, ચારિત્ર કે ક્રિયા કામ લાગે અને તે દ્વારા તે બને પણ આત્માની સિદ્ધિ કે મોક્ષ સમ્યગદર્શન વિના ન જ બની શકે.
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy