SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પર * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અસંયત–અવિરત માનવને જાણીએ તે પહેલા સંત અને વિરત આદિને જાણી લેવા ઠીક રહેશે. જુદા જુદા શામાં તે તે શબ્દના કરાયેલા અર્થો નીચે પ્રમાણે જાણવા. સંયત, સંયમ અને સંજમ શબ્દોમાં પ્રત્યે ભિન્ન હોવા છતાં અર્થ એક જ છે. (1) નામ-નોરમ: (ઠાણગ-૩૨૩) જૈન શાસને પાપસ્થાનકે 18 કહ્યાં છે. માટે જે કરવાથી પાપ જ લાગે તે પાપસ્થાનક છે, તેને શાંત કરે, તેના દ્વાર બંધ કરે કે તેમને સર્વથા નિમૅલ કરી નાખે તે પાપપરમ કહેવાય છે. જીવનમાં સૌથી પહેલા પાપને ઓળખવા, તેમનામાં રહેલી ઘાતક શક્તિને જાણવી અને આત્માને માટે તેમનામાં કેટલી ભયંકરતા છે તે જાણવી અને જ્યારે તેના સેવનને અવસર આવે ત્યારે તેમને સમ્મચારિત્ર વડે દબાવી દેવા, શાંત કરવા તે પાપેપરમ કહેવાય છે, જે સંયમ છે. (2) રૂઢિ નોાિ સંયમવાનું (આચા, 750) શરીરધારી જીવ જ્યાં સુધી પાંચે ઈન્દ્રિયેને ગુલામ હોય છે, ત્યાં સુધી ચારે કષાયની વિદ્યમાનતા નકારી શકાતી નથી. કષાયવંત આત્માના મન, વચન અને શરીર નામના ત્રણે યે દુષ્ટ, દુપ્રયુક્ત હોવાથી તેમને એકેય વ્રત લેવાનું ષિાય તેમ નથી. માટે જે છ વ્રતની મર્યાદા વિનાના હોય છે તેઓ પ્રકારાન્તરે પણ હિંસક વૃત્તિને ઉત્પન્ન કરાવનારી પચ્ચીસ કિયાએથી યુક્ત જ હોય છે તેથી ઇન્દ્રિય અને
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy