SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 28 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વ્યવહારમાં બીજા જ સાથે બંધેલ વૈરને ભેગવવા માટે દુર્ગતિઓમાં રખડપટ્ટી કરવાની ભાગ્યમાં શેષ રહે છે. ૧૨ભાવનક:-હિંસક વ્યવહાર, રાજ્ય વિરૂદ્ધ વ્યાપાર અને વૈર વિરોધથી પૂર્ણ જીવનના કારણે સ્વયં ભયગ્રસ્ત બનેલે માનવ “ઢશે નષ્ટઃ જરા નાવાત” આ ન્યાયે બીજાઓને પણ ભય પમાડતે જ હોય છે, જેમ સાપથી ભય પામતે માણસ, સાપના અભાવમાં પણ “ભયને માર્યો સાપ સાપ કરીને હજારે માણસેના જીવને અદ્ધર કરી દે છે ઈત્યાદિ કારણેને લઈને ભાવનક (બીજાઓને ભયપ્રદ) અવસ્થા પણ પ્રાણઘાતકનું સ્વરૂપ છે. 13. વાસઃ-આવા માણસે ચારે તરફથી બારી બારણા બંધ થયેલા પિતાના કમરામાં બેઠા બેઠા પણ આકસ્મિક (કારણ વિના) ભય પામીને માથું ધુણાવે છે, શરીરમાં ધ્રુજારીને અનુભવ કરે છે અને છેવટે પિતાને મરણસન્ન અવસ્થામાં લાવી મૂકે છે. અથવા તે બીજાઓને નુકશાનમાં ઉતારીને ત્રાસ દેવે તે ત્રાસ છે. અથવા સ્વયં ત્રસ્ત રહેવું. બીજાઓને વાસિત કરવા, તે ત્રાસ છે. હિંસક માનની આ દશા સ્વાભાવિક છે. 14, ઉદ્વેગજનક –મનમાં સ્વાભાવિક કે આકસ્મિક ઉગ બન્યા રહે છે તેથી તેવા માણસ ઘણીવાર લમણે હાથ દઈ કિંકર્તવ્ય મૂઢ જેવા બનીને દિશાશૂન્ય બની જાય છે. જાણે બીજુ કંઈ પણ કરવાનું છે જ નહિ; આવા ખ્યાલાના કારણે સશક્ત હેવા છતાં, પારકાને સારી બુદ્ધિ દેવાની
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy