SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 19 બાળી નાખે, ખંખેરી નાખે, ત્યારે તેઓને અંત થાય છે. માટે સિદ્ધ પરમાત્માએ કર્મોના મેલથી સર્વથા મુક્ત હેવાથી તેમને આશ્રવ માર્ગે અર્થાત્ કર્મોને ઉપાર્જન કરવાના માર્ગે પ્રવૃત્તિ કરવાને પ્રસંગ જ ઉપસ્થિત થતું નથી. અનાદિ જીવ કર્મોના બંધનમાં બંધાયેલે હેવાથી તેમને ફરી ફરીથી પાપકર્મો પ્રત્યે પ્રયાસક્તિ હોય તે સ્વાભાવિક છે. આ કારણે જ પાપકર્મો કરવાનું જીવને ખેંચાણ રહે છે. યદિ સર્વ પ્રથમ જીવને પાપરહિત માનવામાં આવે તે પાપ વિનાના જીવાત્માને આશવમાર્ગે પ્રાણાતિપાત-હિંસામાર્ગે) જવાની આવશ્યક્તા જ ક્યાંથી રહે? કઈ પણ પરિશુદ્ધાત્મા પાપથંકમાં લપેટાઈને યમદૂતને માર ખાવા માટે કબુલ ન જ થાય. તેથી પાપની વાસનાવાળે આત્મા જ પાપનું સેવન કરે છે તેથી જીવનું અનાદિકાલીન વિશેષણ સાર્થક બને છે. સંસારની આદિ નથી માટે તેને અંત પણ નથી. કેમકે સંસારના ઉત્પાદનમાં ઈશ્વરની માયાને કેઈએ પ્રત્યક્ષ કરી નથી તેમ હજારે પ્રયત્ન કર્યો છતે પણ તેનું પ્રત્યક્ષીકરણ શક્ય નથી. તેમ છતાં સંસાર છે, જીવે છે, તેના કર્મો છે, નરકાદિ ગતિઓ છે, હવામાનના કારણે વાદળાઓ તથા વિજળીઓ છે. જે પોતાના જ કરેલા કર્મોના કારણે સુખદુઃખ, સંયેગ-વિયેગ, અવનતિ–ઉતિ આદિને અનુભવ કરે છે, આમાં કર્મોનું પ્રત્યક્ષીકરણ આગમ તથા અનુભવગમ્ય છે. પ્રસ્તુત આગમના પ્રથમ શ્રુતસ્કંધને પ્રથમ અધ્યાય પ્રાણાતિપાત નામને છે. તેને પાંચ પ્રકારે વિસ્તૃત કરવામાં
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy