SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ 568 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર અર્થાત્ મિથુનાદિ પાપમાંથી પિતાના આત્મપ્રદેશને ખેંચી લઈ જે ભાગ્યશાળીઓ બ્રહ્મચર્યધર્મની આરાધનામાં એકાગ્ર થશે તે અનાદિકાળથી વળગેલા હિંસાદિ પાપને નિરોધ કરવા માટે સમર્થ બનશે. તેમજ ખાનપાન, રહેણીકરણી, વ્યાપાર-વ્યવહારમાં ઓતપ્રેત થયેલી અશુદ્ધતાને દૂર કરવા માટે સંયમી જીવન જીવશે. જેથી પાંચે ઈન્દ્રિયના 23 વિષમાં બેભાન બનેલે આત્મા ખરા અર્થમાં જિતેન્દ્રિય, નિરારંભી અને નિષ્કષાયી બનશે. - ભારત દેશના બધાય પર્વતેમાં હિમવાનું પર્વત જેમ મોટો અને પ્રભાવશાળી છે, તેવી રીતે કે તેનાથી પણ વધારે ગુરૂ અને પ્રભાવશાળી બ્રહ્મચર્યધર્મ છે. વ્રતાનાં ઘર f, નિષ્ટ મતમ્ . तज्जन्य पुण्यसभार, संयोगाद् गुरुरुच्यते // મતાન્તરેમાં પણ કહેવાયું છે કે એક બાજુ ચારે વેદ હોય અને બીજી તરફ બ્રહ્મચર્યવ્રતનું પાલન હોય, તે વેદના અભ્યાસ કરતાં પણ બ્રહ્મચર્યની સાધના સર્વશ્રેષ્ઠ છે. પાપકામાં એક તરફ દુનિયાભરના પાપિની રાશિ હોય અને બીજી તરફ શરાબપાન અને માંસજન હોય તેમાં બધાય પાપિ કરતાં શરાબ અને માંસનું પાપ મેટું છે.” જેની સાધનાથી માનવનું મન પ્રશસ્ય એટલે કે દેવ દાનના દેવાવાસ કરતાં વધારે પ્રશસ્ય, ગંભીર, અચંચલ અને સ્થિર બનવા પામે છે. ગંભીરતાને અર્થ:
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy