SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રવ્યાકરણ સૂત્ર છે 557 નથી, ધર્મોપકરણે પ્રત્યે મુનિને મૂર્છા ન હોવાના કારણે વસ્તુઓને નિષેધ નથી, તે પણ બીજાના લાભમાં અંતરાયભૂત થતા લાભાન્તરાય કર્મ બંધાય છે જે ભાવ પરિગ્રહ છે, તથા તપચેર, વાણીર, રૂપાર, સમાચારીચેર અને ભાવર મુનિ પણ આ વ્રતને આરાધક બની શકતા નથી. જેમ કે પિતાની મંડળીમાં કે ઉપાશ્રયમાં રહેનારા કે મુનિરાજે માસક્ષમણું કર્યું હોય, કેઈ વ્યાખ્યાન વાચસ્પતિ હેય, કેઈ રૂપવાન હય, કેઈ શુદ્ધ સમાચારીને આરાધક હોય અને કઈ જ્ઞાની હોય, તેવી સ્થિતિમાં કઈ ગૃહસ્થ અનજાન હોવાથી પૂછે કે “શું આપશ્રી તપસ્વી છે? વ્યાખ્યાતા છે? રૂપવાન છે? શુદ્ધ સમાચારીના પાલક આપ જ છે? અને જ્ઞાની છે?” ત્યારે ભાવરીની આદત પડેલી હોવાથી પૂછાયેલે મુનિ જવાબ આપતા કહે છે કે “ભલા માણસ! સાધુઓ તે તપસ્વી જ હોય છે, ત્યાખ્યાન કરનાર જ હોય છે, રૂપાળા જ હોય છે; સાધુ માત્ર શુદ્ધ ક્રિયા કાંડી જ હોય છે અને જ્ઞાન-ધ્યાનમાં રત હોય છે. આ પ્રમાણે પિતે તપસ્વી આદિ ન હોવા છતાં પણ ઉપર પ્રમાણે જવાબ આપનાર મુનિને જેનશાસન ભાવાર કહે છે, જે દ્રવ્યથી નહિ પણ ભાવથી વ્રતને વિરાધક બને છે તથા મેડી રાત્રે પણ જોર જોરથી બોલનાર, લડાઈ-ઝગડા કરનાર, સાથે રહેનારા મુનિઓમાં પરસ્પર ભેદ કરાવનાર, કલહ-કંકાસ કરનાર, વર-વિરોધ ઉત્પન્ન કરનાર, જ્યારે ને ત્યારે દેશ કથા, રાજ કથા, ભજન કથા અને સ્ત્રી કથા કરનાર, બીજ મુનિઓને અસમાધિ
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy