SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ 536 9 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર લાલસા જ રહેલી હોય છે. જ્યારે સંસારના પ્રત્યેક પદાર્થ પ્રત્યે નિમમત્વભાવપૂર્વક વૈરાગી, દીક્ષિત અને શિક્ષિત બનેલા જૈન મુનિરાજે અર્થ અને કામથી સર્વથા પર હેવા છતાં પણ અનિવાર્યરૂપે આહારની ગવૈષણે તેમને પણ કરવાની ફરજ પડે છે, પણ આ ગષણામાં વૈરાગ્ય છે, નિર્મમત્વભાવ છે અને કાયાની માયાને અભાવ છે, તેમ છતાં પૂર્વભવીય મહજન્ય સંસ્કારના કારણે ગોચરી જતા મુનિરાજેની કયાંય ભૂલ ન થવા ન પામે, તેવા ઉદ્દેશથી સૂત્રકાર સુધર્માસ્વામીજી ફરમાવી રહ્યાં છે કે, હે સાધક મુનિ! કંચુકીના ભારને ભાર સમજી સાપ જેમ તેને છોડી દે છે, તેવી રીતે ગૃહસ્થાશ્રમ અને તેને લગતી ખાન-પાન, રહેણીકરણી, વ્યાપાર, વ્યવહાર તેમજ સગા સંબંધીઓની માયાને પાપને ભારો સમજીને તમે છેડી દીધી છે. તે હવે તે પાપના ભારાને સ્મૃતિમાં લાવવાની જરૂરત રહેતી નથી. તેથી ગેચરી પાણીએ જતાં-આવતા તારી ખાનદાની, શ્રીમંતાઈ, તારા સંસારી પિતા તથા ભાઈ આદિને લાખે-કરોડને વ્યાપાર, ઘરમાં ખાધેલી-પીધેલી સારામાં સારી ભેજન સામગ્રીને કેઈ પણ શ્રાવકને કે શ્રાવિકાને કહેવાની આવશ્યકતા રહેતી નથી. જેમ ગળા સુધી આવેલી કડવી ચીજને પાછી જીભ પર લાવતાં તે કડવી તેનો વિના રહેતી નથી, તેવી રીતે કડવા તુંબડા જેવી કડવી સાંસારિક માયાને યાદ કરતાં તારા ચારિત્રઘનને તથા એષણસમિતિને ધક્કો લાગ્યા વિના રહેશે નહિ. પ્રત્યેક ગૃહસ્થને ત્યાંથી થેડું છેતુ વહેરજે, લાભાન્તરાય કમ ક્ષયપશમના કારણે
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy