SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 49 (33) રક્ષા –અનુભવીઓનું ટંકશાળી વચન છે કે, “ઘમે રક્ષતિ રક્ષિતઃ” યદિ તમે મન-વચન અને કાયાના શુભ અધ્યવસાયેથી ધર્મની રક્ષા કરનારા છે, તે ચોક્કસ સમજી લેજે કે તે ધર્મ પણ તમારી સર્વાગીણ રક્ષા કરવાને માટે વચનબદ્ધ છે. બાહ્ય અને આભ્યન્તરરૂપે ધર્મના બે પ્રકાર છે. બાહ્યધર્મ એટલે આત્માના શુદ્ધ કે શુભ અધ્ય વસાયેની સંગતિ અપવાદ સિવાય સૌને નસીબમાં નથી હતી. માત્ર ત્યાં હોય છે ધમાધમ, મિથ્યા આડંબર, મિથ્યા પ્રતિષ્ઠા અને છેવટે વૈર-વિધિપૂર્વક એક ટોળામાંથી, એક સમાજમાંથી કે એક સંઘમાંથી બીજાએ છુટા થઈ પિતાનું ટેળું, સમાજ અને સંઘની જુદી સ્થાપના કરી અહં પિષણ જેટલે જ લાભ તે મેળવી શકશે. જ્યારે આભ્યન્તરધર્મની આરાધનામાં અહિંસાધર્મ અગ્ર સ્થાને રહેવાથી આત્માના શુદ્ધ અને શુભ અધ્યવસાયે પ્રતિ સમયે વૃદ્ધિ પામશે, વિકસિત થશે, સાથે સાથે આત્માના એક એક પ્રદેશમાં મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, પ્રમોદભાવને અમૃતાસ્વાદ, કારુણ્યભાવની પ્રેમાળદષ્ટિ અને ઉપેક્ષાભાવને સાગર લહેરાશે. ફળ સ્વરૂપે અહિંસાધર્મ પ્રત્યેક માં તેની રક્ષા કરનાર બનશે. કેમ કે આ ધર્મની પ્રાપ્તિમાં જ લાખો, કરડે, સંખ્યાત અને અસંખ્યાત છને અભયદાન દેવાય છે. ભૂખ્યા માનને અનાજ, પાણી, વસ્ત્ર અને ઔષધ દેવાય છે. તેવી સ્થિતિમાં સૌના મિત્ર બનેલાને અહિંસક ભાગ્યશાળીને આ ભવમાં કે ભવાન્તરમાં પણ દુઃખી બનવાને
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy