SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર એક 47 કપાયે મર્યાદીત થતાં નથી, વિષયવાસના સંયમિત થતી નથી. અન્યથા અગણિત માન, કુટુંબીઓ કે પશુ પક્ષીઓ સાથે વૈર બંધાયા વિના તથા આવનારા ભવમાં બદલે ચૂકવ્યા વિના રહેવાનું નથી. માટે વિવેક અને સદ્બુદ્ધિથી વિચાર કરીને અહિંસક બનવાને પ્રયત્ન કરે કલ્યાણકારી છે. (25) ભદ્રા -શરીરધારીઓનું દ્રવ્ય અને ભાવથી કલ્યાણ કરાવે તેને ભદ્રા કહેવાય છે. પ્રત્યેક માનવ પિતાનું કલ્યાણ ઈચ્છે છે. પરંતુ તેની જાણકારી યથાર્થ ન હોવાને કારણે આજ સુધી પણ તેની પ્રાપ્તિ કરી શક્યા નથી. ગત ભમાં આચરેલી હિંસાના કારણે સંખ્યાત-અસંખ્યાત-માનવ સાથે વૈરબંધન કરેલું હોવાથી શત્રુરૂપે બનેલા તેઓ ડગલેને પગલે ગમે તે રીતે પણ અંતરાયભૂત થયા વિના રહેતા નથી, જેમને આપણે ગુપ્ત શત્રુઓ કહીએ છીએ. માટે આ ભવમાં અને પરભવમાં સુખી બનવું હોય તે ભગવતી અહિંસાની આરાધના કર્યા વિના છુટકે નથી. કેમકે કલ્યાણ-સુખ-શાંતિ અને સમાધિ મેળવવાને માટે અહિંસા જ મૂળ કારણ છે. આન્તરિક સુખ મેળવવાને માટે મૂળ મંત્ર નીચે મુજબ છે - (1) વૈરીની સામે વરને બદલે લેવાને ભાવ છેડી દે. (2) ફોધ કરવાવાળા પર મૌનધારી લેવું પણ ક્રોધથી જવાબ ન દે. (3) નિંદાને જવાબ નિંદા–અદેખાઈ કે ઈષ્યથી ન દે. (4) ક્રોધની માત્રા ભડકવા આવે ત્યારે રજાઈ ઓઢીને સૂઈ જવું.
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy