SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - 9 પરમાત્માઓને નમન કર્યું છે. અરિહંતાણું' શબ્દમાં બહુવચનને પ્રગ એટલા માટે જ કર્યો છે, કે, “જૈન શાસનમાં પરમાત્મા એક નથી પણ અનંત છે અર્થાત્ જેમણે કર્મોના લેશેને, અવિદ્યાને, અસ્મિતાને તથા રાગ-દ્વેષને નિમૂલ કરી કેવળજ્ઞાન અવસ્થા પ્રાપ્ત કરી હોય તે બધાય પરમાત્મા કહેવાય છે. બીજી વાત એ છે કે વ્યક્તિવિશેષ ઉપર તે દ્વેષ-બુદ્ધિ રાખનારા હોઈ શકે છે, જેમકે -રામચન્દ્રજીને વૈરી રાવણ, કૃષ્ણને વૈરી શિશુપાલ, કંસ અને દુર્યોધન આદિ. ગાંધીને શત્રુ ગેસે વગેરે હતાં જ્યારે અરિહંત પરમાત્માના શત્રુ કઈ પણ હોઈ શકે નહિ. તે માટે જૈનશાસને તે તે ગુણે જેમને પ્રાપ્ત થયા છે તે તે બધાય પરમાત્મા છે. તેથી ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક ચારિત્રને પ્રાપ્ત થયેલા પરમાત્માઓને નમસ્કાર સૂચવ્યું છે. આ સૂત્રમાં ક્યા વિષયનું પ્રતિપાદન હશે? આશ્રવ તથા સંવરને નિશ્ચય કરાવવાનું પ્રજનવાળા અરિહંત પ્રવચનના સારભૂત આ સૂત્રને (આગમને) તીર્થંકરદેવેએ પ્રકાશિત કર્યું છે, તેને હે જબ્બ ! કહીશ. સારાંશ –જે પ્રાણાતિપાતાદિ ક્રિયાઓ દ્વારા કર્મો આવે તે આશ્રવ છે અને આત્મારૂપી તલાવમાં પ્રવેશ પામતાં કર્મોને અર્થાત્ પ્રાણાતિપાતાદિ પાપકર્મોને રેકે તે સંવર છે. તે બંનેને સ્વાદિક કહીને તે તેની સ્પષ્ટ રૂપની સમજણ આ સૂત્રમાં છે. ખજુરને નિસ્યન્ત (રસ) જેમ આત્માને
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy