SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ 438 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કહે છે કે-ચપુથી મારું નાક કપાયેલું અને શાહીથી કાળું છે તેમ તારૂં થવા ન પામે તે ધ્યાનમાં લઈને પરિગ્રહને મર્યાદામાં લેવાને ભાવ રાખજે, તથા જેમ જેમ ધોળા વાળ થતા જાય તેમ તેમ સંસારની માયાને, ઉપાધિને, વ્યાપાર રોજગારને છેડતે જજે. (5) અનિત્ય -આજ સુધીના ઇતિહાસને જોયા પછી ખ્યાલ આવશે કે પરિગ્રહની માયા કોઈની પાસે પણ સ્થિર રહી નથી. જબરદસ્ત પુણ્યકર્મને ઉદય વર્તતે હોય તે બે ચાર પેઢી, કેઈને એક પેઢી, કેઈને પાંચ પચીસ વર્ષ, અને ચોમાસાના દેડકા જેવા શ્રીમતે એવા પણ છે. ક્યારે શ્રીમંત થયા? ક્યારે ચમક્યાં? અને ક્યારે “મેલ કરવત્યા કરવત આખરે મેચીડાને ચીડે” ની જેમ પાછી નોકરી કરવાની જ ભાગ્યમાં રહે છે. સટ્ટા બજારમાં તેજી મંદી રમનારા, ફીચરના આંકડા લગાડનારા, રેસના ઘોડા દેડાવનારા, કે તાસપાનાથી રમી રમનારા હજારે માણસેને જોઈએ છીએ કે, આજે તેમના બાળબચ્ચા અને પત્નીએ રેતાં રેતાં દિવસે પૂરા કરી રહ્યાં છે. કારણમાં સૂત્રકારોએ કહ્યું કે લક્ષ્મીદેવીના પગે ભમરો હેવાથી ક્યારેય અને કોઈને ત્યાં પણ સ્થિર રહેતી નથી. લક્ષ્મીની માયા ક્યારે સમેટાઈ જશે તેની ખબર પડવાની નથી માટે સદૈવ અનિત્યરૂપને ધારણ કરતા પરિગ્રહ એટલે ધન-ભૂષણ વગેરેને ખાડો છેદીને દાટવામાં કે બેંક બેલેસને વધારવામાં પૈસાને ઉપગ કરી પાપમાં પડવું તેના કરતાં દીન-દુઃખીઓની સેવામાં, જાતિ ભાઈઓમાં,
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy