SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 411 પરિગ્રહમાં પાપન સંપાત (પ્રાપ્તિ) અવશ્ય હોય છે. કેમકે શાલિભદ્રજી, ધન્ના કે વસ્તુપાલ, તેજપાલ જેટલું પુણ્ય બીજાઓનું ક્યાંથી હોય? માટે જ જૂઠના માર્ગો અપનાવવાની ફરજ પડે છે, અથવા પરમ દયાળુ, જીવ માત્રના તારક તીર્થકર દેવના ચીંધેલા પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણ જેવા પવિત્રતમ ધર્મોમાંથી ‘વિરમણ” શબ્દને દેશવટો દેવાની ફરજ પડે છે. કેમકે તે તીર્થકરેને અનુયાયી નથી પણ પરિગ્રહને અનુયાયી છે. ' (19) કલહ કરંડ:-કાંડને અર્થ કરંડીઓ, પેટી, મંજુષા, તિજોરી વગેરે થાય છે. પરિગ્રહીને પિતાના પરિગ્રહના વર્ધન માટે, રક્ષણ માટે, પુત્રતુલ્ય પિતાના નાના ભાઈઓથી લઈને બીજા કેટલાયની સાથે કલહ, વૈર, વિરોધ, જીભાજોડી છેવટે કંડાર્ડડી પણ કરવાની ફરજ પડે છે. જે વ્યાપારમાં પાંચ પચીસ હજારને, લાખ બે લાખનો કે પાંચ પચીસ લાખને ફાયદો નજરે પડતે હેય, ત્યારે હીરામેતી, સુવર્ણની લગડી કે દાણચેરીના ઘડીયાળ વગેરેને ખરીદવા માટે બીજાઓ સાથે કલહ કર્યા વિના છુટકે નથી. જે કઈક સમયે જીભાજોડીમાં જ પૂર્ણ થાય છે, ત્યારે કંઈક સમયે સામેવાળા પ્રતિસ્પધિને ગૂંડાઓ પાસેથી મેથીપાક પણ ખવડાવવો પડે કે સરકાર પાસે ફરિયાદ કરી પિતે પણ ન ખાય તેમ ભાઈઓને પણ ખાવા ન દે તેવી સ્થિતિ સર્જવા માટેનું મૂળ કારણ પરિગ્રહ છે, અને તેનું કાર્ય કલહ છે. મી વર્ષ માટે કેટલાયની ને ફરજ પ
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy