SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ 404 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર વગેરે પૈસે હોય તે જ મળે છે અને તેના વિના જીવન જીવ્યાનું ફળ શું? આવા વિચારોથી પ્રેરાઈને પણ તેઓ પૈસાની કમાણીને જ ધર્મ માની બેઠા હોય છે. (9) પિંડ -પરિગ્રહને જ ધર્મ માનીને જીવનયાપન કરનારાઓ ધન-ધાન્યથી પિતાનું ઘર ભર્યા ભાદરવા જેવું રહેવા પામે તેવા ખ્યાલાતોથી પ્રેરાઈને ભૌતિક પદાર્થોને વધારે કરવા માટે પ્રયત્નશીલ બને છે. વર્ષભર ચાલી શકે તેટલી માયામાં તેમને ક્યારેય સંતેષ હેતું નથી. માટે જ પ્રત્યેક પ્રસંગના વસ્ત્રો, ખમીસ, પેઈન્ટ, છેતીયા, બુશશર્ટ, સાડી વગેરે જુદા જુદા ખાનપાનમાં બધી જાતના અનાજે, મસાલાઓ, સરબતેના શિશાઓ, ચૂર્ણોની બેટલે, પાનના કરંડીયાઓ, મેવા-મિષ્ટાન્નના ભરેલા પેકેટ વગેરેથી ઘર ભરી દીધા પછી તેમના ભેગવટામાં તેમનું મન સરકી જતાં તેના વિચારે તેમને સતાવશે. આમ આખી જીંદગી પરિગ્રહની પાછળ દિવાન બનીને પૂર્ણ કરશે તે પણ માયાના ભગવટા તેમના અધુરા રહેતા મૃત્યુ સમયે પણ સંસારની માયાના આર્તધ્યાનમાં ખેલ ખતમ કરશે. (10) દ્રવ્યસાર -પરિગ્રહ સંજ્ઞાના કીડા બનેલા માનવે કહેશે કે ધર્મ અને તેના ફળ કેણે જોયા છે? પૂજા-પાઠ, સામાયિકે કરવાથી આકાશમાંથી પૈસે પડતે કેઈએ જે છે? તપશ્ચર્યા કરીને પેટના કીડાઓને ભૂખે મારવામાં કેવી દયા? આવી રીતના વિપરીત જ્ઞાનના માલિકે ધન-ધાન્ય, રંગબેરંગી વસ્ત્રો, જુદા જુદા ભોજને, ઝાંઝરના ઝણકારે
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy