SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ 278 4 શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર આંખે, હૃદય ચક્રની જેમ ફરવા માંડે છે, આંખે અંધારા અને હૃદય ધ્રુજવા લાગે છે. કેમકે જીવ માત્રને પોતાના પ્રાણે પ્રિય હોય છે. પરમાધામી જેવા પાપી, નિર્દયી, કૂર અને ચંડાલસમાં રાજપુરૂષે તે ચોરોને માંસના ટૂકડા ખવડાવે છે અને કેરડા મારે છે, હજારે માણસોથી ઘેરાઈ ગયેલા તે બિચારા ઘણા જ દુઃખી બને છે, ગામની વચ્ચેથી તેમને લઈ જવામાં આવે છે. સર્વથા અશરણ, અનાથ, અબંધુ, બંધુત્યક્ત હોવાથી તેમના પર કોઈને પણ દયા આવતી નથી અને વધસ્થાને તેમને લાવી મિતના ઘાટ ઉતારે છે. પારકાઓના ઘરમાં ઘુસી તેમનું દ્રવ્ય, સ્ત્રી, પુત્રી આદિનું હરણ કરનારા ચરોનું જીવન ભયંકર પાપમય, ક્લિષ્ટ પરિણામી અને દૂર હેવાથી હાથના કર્યા હૈયે વાગ્યા આ ન્યાયે ચંડાલેના હાથમાં સપડાયેલા તે ચરે ઢોરમાર ખાઈને અધમુઆ થઈ જાય છે, આંખ તથા જીભ બહાર નીકળવાની તૈયારીમાં હોય છે, ધમણની જેમ શ્વાસ નિશ્વાસ લેતાં તેમને મજબુત દોરડાથી બાંધીને ઝાડની ડાળીએ ઉંધા લટકાવે છે, પર્વત પરથી ધક્કો મારીને નીચે પટકે છે, તે સમયે પર્વતના અણીયાલા પત્થરોથી તેમની ચામડી, હાડકા વગેરે તૂટી જાય છે, ચામડી છેલાઈ જાય છે. હાથીને પગ નીચે મૂકે છે અને નાળીએરની જેમ હાથી તેમને ચગદી નાખે છે. કુહાડાએથી તેમના કાન, નાક, આંખ, હેઠ, હાથ,
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy