SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર * 241 રીતે ફસાવી લે, જેથી તે કંઈ પણ કરી શકે નહિ. આ રીતે પારકા ધનનું હું પણ એટલે કે તેવી રીતે પચાવી લેવું, જેની ખબર કેઈને પડવા પામે નહિ.” 27. -ચૌર્યકર્મ અવિશ્વાસને જનક હેવાથી ચરને કઈ પણ વિશ્વાસ કરતું નથી. જે જીવનની અસલી કમાણી છે. કરોડે રૂપીઆ મળવા સુલભ છે, પણ વિશ્વાસપાત્ર બનવું અત્યન્ત કષ્ટસાધ્ય છે. ગૃહસ્થાશ્રમીમાં પણ એકાદ પૈસાની ઘાલમેલ કરનાર હોય કે શાકભાજી લાવતાં પણ પૈસાની ઘાલમેલ કરવાને સ્વભાવ હોય, તેવા માણસે, ઘરના મેંબર હોય તે પણ ફેમીલી વ્યવસ્થામાં ક્યાંય વિશ્વાસ જમાવી શકતા નથી. 28. સોવોરાઅપીડ-ચેર, જેના ઘરે ચેરી કરે તેના દ્રવ્ય અને ભાવ પ્રાણેને જેમ પીડા કરનાર હોય છે, તેમ પિતાના આત્માને, સદ્બુદ્ધિને તથા સદ્વિવેકને પણ પીડા કરનાર બને છે. મતલબ કે-જે કાર્યો કરવાથી માનવ પરપીડક બને છે, તે જ કર્મોથી પિતાના આત્માને પણ પીડક બનવા પામે તે સ્વાભાવિક છે. પાપબુદ્ધિ જેમ જેમ વિકસે છે, કે, ઉદીર્ણ કરીને વિકસાવવામાં આવે છે, તેમ તેમ તે આત્મા નિર્ધ્વસ પરિણમી, કઠેર હૃદયી, મલિન અધ્યવસાયી, કર્કષભાષી, અસદુ વ્યવહારી, અનાર્ય વ્યાપારી, દુષ્ટ સંસર્ગી બને છે, જેથી તેના કાળા પત્થર જેવા હૃદયમાં ધર્મ અને તેના અનુષ્ઠાને પણ કેવળ મશ્કરીરૂપથી વધારે કંઈ પણ પ્રાપ્ત કરાવે તેમ નથી. વંદિતુ સૂત્રમાં જ્યારે તેના હડપ્પાઓગે...ગાથા બેલાય છે.
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy