SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર # 171 તેને આકાશ કહે છે. પણ વસ્તુતઃ જે પદાર્થને કોઈ આકાર નિયત નથી, પ્રમાણિત નથી, તેની વિદ્યમાનતા હેઈ શકે નહીં. આકાશ પણ આકાર વિનાને હોવાથી શૂન્ય છે. તેવી રીતે જેને તમે સંસાર કહો છો, તેના આકારને કઈ પણ બતાવી દેવા માટે સમર્થ ન હોવાથી વસ્તુતઃ તે શૂન્ય જ છે, અને જે શૂન્ય હોય તેના માટે તકે કરવા પણ બેકાર છે. “જગત નાસ્તિત્વ વિદિતું શીલ યસ્ય સે નાસ્તિકવાદી " આવી રીતની માન્યતા શૂન્યવાદીની છે. શુન્યવાદને પ્રતિકાર :- ઉપર પ્રમાણેના શૂન્યવાદીને પ્રતિકાર કરતાં કહેવાયું છે કે, સંસાર શૂન્ય નથી, પરંતુ આબાળગે પાળ સૌની સગી આંખે સાફ સાફ દેખાઈ રહ્યું છે. તેમાં રહેલા અનંતાનંત જીવાત્માઓ તથા શૂન્યવાદીઓને આત્મા પણ સુખ-દુઃખ, સગ-વિયેગ આદિ દ્વોને જે અનુભવ કરી રહ્યો છે, તેમ ચાર પગા, આકાશમાં ઉડનારા પશુ પક્ષીઓ, કીડાઓ પણ દુઃખને પ્રત્યક્ષ કરી રહ્યા છે, તેમ પ્રતિક્ષણે આપણે આત્મા, કબૂલ કરી રહ્યો છે કે, આ પૃથ્વી છે, તેના પર મેટા મેટા ઝાડે છે, તેના ફળે છે. જેને આપણે ખાઈ રહ્યાં છીએ અને તૃપ્તિને ઓડકાર લઈએ છીએ આ નદીઓ એક કાળે પાણી વિનાની હતી, આજે ઘેડા પુર દેડી રહી છે. આ શહેરો ગામડાઓ જેમાં જૂદા જૂદા માને તિપિતાના કરેલા પુણ્ય પાપને ભેગવતાં, રીબાતાં, ભૂખે મરતાં, માલમસાલા
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy