SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 158 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર - (21) મન્મનમ-તેતડા, બોબડા માનવેના શબ્દો જેમ અસ્પષ્ટ હોય છે, તેમ અસત્યવાદીઓની ભાષા, વસ્તુની રજુઆત કયારેય પણ સ્પષ્ટ હોતી નથી. કેમકે અસત્ય નામના રાક્ષસે તેમને તેવી રીતે કન્ટ્રોલમાં કરી લીધા છે જેનાથી તેઓ સરળ ભાષા બેલવા જાય તે પણ બેલી શકતા નથી. ગુણીયલ માણસની પ્રશંસા કરવા લલચાય તે પણ તેમ કરી શક્તા નથી. મનુષ્યાવતાર મેળવીને કંઈક કરવાની ભાવના ખરી, પણ વિવાહની વરસી કરે તેવી તેમની ભાષા ગોળને ગબર કરી નાખતા વાર લાગતી નથી. નાની ઉમરમાં જ તેમનું જીવન એટલી હદે અવળે માર્ગે ગયેલું છે જેથી ભણીગણુને હોંશીઆર થયા પછી પણ ભાષાના પ્રાગમાં ગોથાં ખાધા વિના રહેતા નથી. આવા માણસે સત્ય તથા પ્રિય ભાષા બેલી શક્તા નથી, સાથો સાથ સીધા અને સરળ પણ બની શકતા નથી. ફળ સ્વરૂપે ઘણાઓના શત્રુ બનવા સિવાય તેમના માટે બીજે માર્ગ નથી. આવા માણસની ખાસ આદત હોય છે કે તેઓ પિતાના પ્રત્યેક પ્રસંગને છુપાવવા માટે જ પ્રયત્ન કરતાં હોય છે. આ કારણે જ પિતાની માવડી કે ધર્મપત્ની પ્રત્યે પણ સ્પષ્ટ હેઈ શક્તા નથી, તે બીજાઓને માટે વાત જ ક્યાં રહી? પિતાના જીવનની સાથે ઘણુઓના જીવનમાં કલેશ-કંકાસની આગ લગાડવા માટે કઈ વાત કેને કરવી? માવડીને કહેવાની વાત પત્નીને કહેવાથી શે ફાયદો? અને સ્ત્રીને કહેવાની વાત પિતાની માવડી કે બહેનને કરવા ગયા તે તેમાંથી ઉત્પન્ન થતાં અને વધતાં કલેશને કઈ
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy