SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 6 129 મસ્ત બનેલી અભયા રાણીએ સુદર્શન શેઠ જેવા શિયળસમ્પને પણ ભયમાં લાવી મૂક્યો હતે, ઈત્યાદિ કારણેને લઈને અસત્યવાદી માનવ સ્વ-પરને માટે આજે કે કાલે, સૂતાં કે જાગતાં ભયંકર જ હોય છે. (3) દુઃખકર –વતે અને નિયમ વિનાને માનવ કે સ્ત્રી લગામ વિનાના કાબુલી ઘડા જેવા હોવાથી કઈ રીતે, કયારે, ક્યા પ્રસંગે અસત્ય ભાષણ દ્વારા પિતાના વ્યક્તિત્વને, કુટુંબને, સમાજને તથા દેશને પણ દુઃખદાયક બનવા પામશે તે કહેવું કઠણ છે. કેમકે તેમનું જીવન અસત્યના પાયા પર અવલંબિત હવાથી સ્વાભિમાની નહિ, પણ મેરેમમાં મિથ્યાભિમાની જ હોય છે, તેથી ગમે ત્યારે પણ તેવાઓના મુખથી કડવા, કર્કશ, ગંદા, અસભ્ય અને બીજાઓને દષારેપણ કરનારા શબ્દોની સરસ્વતી સરી પડશે, તે અનુભવ કેને થયું નથી? આ કારણે જ તેવા માણસો ક્યારેય પણ સુખકર, પ્રિયંકર, શુભંકર, ભદ્રકર અને અભયંકર હોઈ શકતા નથી, પરંતુ ભયંકર જ હોય છે. (4) અજસકર યશ અને કીર્તિ મેળવવાની ઝંખનાથી કેટલાક માનવે સંઘની, સમાજની, દેશની પ્રત્યેક કમિટિ એમાં મેમ્બર બનવા માટે પ્રયત્ન કરતાં હોય છે અને થોડી ઘણી જાતમહેનત પણ કરે છે, તે પણ તેઓ યશસ્વી બની શકતા નથી. કેમકે તેમના જીવનમાં પડેલી ગંદી આદતે, ઘાલમેળ કરવાની આવડત અને પિતાના સાથીદારને પક્ષમાં લઈ હજારે લાખ રૂપિઆના ગવન (ગાળમેળ) કરવાની
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy