SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર 5 ઉત્કૃષ્ટતમ પાપકર્મો, વૈરકર્મોને ભેગવવા માટે શરીર તથા ઈન્દ્રિયની અનિવાર્યતા રહેલી જ છે. તેના માધ્યમથી જ ત્રાણાનુબંધથી મળેલા ભૌતિક સુખને ભેગવવાને માટે સમર્થ બને છે. નરકમાં જનારા જીવ હિંસા, જૂઠ, ચેરી, દુરાચાર અને પરિગ્રહના કારણે ઉપાર્જત પાપકર્મોને ભારે સાથે લઈને નરક ભૂમિમાં આવે છે, તેથી ત્યાં રહેલા પુદ્ગલેનું પરિણમન પણ તેમના માટે દુઃખદાયી જ બને છે. તેમનું શરીર હંડક સંઘયણવાળું હોવાથી તેમના પ્રત્યેક અંગે અને ઉપાંગોને જોનારને પણ બીભત્સ અને આદર્શનીય લાગતા હેવાથી સામેવાળે નારક તેમને મારવા માટેના ઉપાયે કરે છે અને હાથમાં જે આવ્યું તેનાથી મારપીટ કરે છે. વૈકિય શરીરના માલિક હોવાથી તેમના હાથ–પગ-માથું–આંખકાન-નાક કપાઈ જાય છેદાઈ જાય તે પણ તેઓ મરતાં નથી, પણ વિખરાઈ ગયેલ પારે જેમ પાછો પારા ભેગે મળી જાય છે તેમ કપાઈ ગયેલા અંગે પણ ફરીથી શરીર સાથે સંધાઈ જાય છે. કેવળ તે દ્વારા ભયંકરતમ પીડા જ તેમને ભોગવવાની રહે છે. જે તીવ્ર, અનિવાર્ય, પ્રબલ, જેનું પરિમાણ નથી તેવી વિશાળ, પ્રત્યેક અંગોપાંગમાં ત્રાસજનક, હૃદયભેદક, નિષ્કુર, અસમાધિપ્રદ, શરીરના પ્રત્યેક અંગમાં વ્યાપક, જેનારને પણ ભયંકર અને પ્રતિકાર વિનાની હોય છે, જેને ભેગ નારક માત્રને કરવાને રહે છે. | મહાનિકાચિત પાપકર્મો અને વૈરાનુબંધના કર્મોને ભેગવવાનું સ્થાન નરકભૂમિ છે. જીવ માત્રને જન્મ લેવાના ત્રણ પ્રકાર છે.
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy