SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર + 75 અવરજવર થાય તે આઠ હાથ પ્રમાણવાળા માર્ગને ચરિકા કહેવાય છે. નદી આદિને ઓળંગવા માટે પત્થર કે લાકડાના પુલને સંકમાં કહે છે. રાજમહેલને પ્રાસાદ કહે છે. સામાન્ય ઘરને શરણ અને પર્વત પાસે પત્થરના ઘરને લયન કહેવાય છે. દુકાનને હક અથવા હાટ કહેવાય છે. યક્ષાદિના ગૃહોને ચૈત્ય કહે છે. ચિત્રવાળા ઘરને ચિત્ર સભા તથા પાણી પીવાના સ્થાનને પરબ કહેવાય છે. યજ્ઞશાળાના મકાનને આતન, તાપના આશ્રમને અવસથ, મકાનની નીચેના ભેંયરાને ભૂમિઘર (તલઘર), તંબુને પટઘર કે મંડપ કહે છે. માટીના વાસણોને ભાંડ તથા સેના ચાંદીના વાસણોને ભાજન તથા ખાંડણિયે અને સાંબેલાને ઉપકરણ કહે છે. ઉપરોક્ત વસ્તુઓના નિર્માણમાં પૃથ્વીકાયના જીની હત્યા ચોકકસ રહેલી છે. અબુધ માનવે પાપને પાપરૂપે નથી માનતા માટે તેમના નિર્વસ દયા વિનાના પરિણામેના કારણે કર્મોનું બંધન પણ જોરદાર બને છે. નાન, પાન, ભજન, વસ્ત્ર ધેવા અને શૌચાદિ કારણે માટે પાણીના જીની હત્યા કરે છે. પિતાના માટે રાંધવું, બીજાઓ પાસે ભેજન બનાવરાવવું, પિતે અગ્નિને સળગાવે, બીજા પાસે સળગાવરાવે, દીવડે પ્રગટાવે, બીજા પાસે દી કરાવે ઈત્યાદિ કાર્યોમાં અગ્નિકાયિક જીની હત્યા રહેલી છે.
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy