SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 64 * શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર મારી મારી અધમુઓ કરે છે. પછી 5-10 શિકારીઓ ભેગા મળીને બંને દાંત બહાર કાઢે છે. તે સમયની હાથીની રિબામણ ભલભલાને પણ થરથરાવી દેનારી હેય છે. પણ હાય રે હુંડિયામણ-શ્રીમંતાઈ-સત્તા! જેના પાપે લાખોપતિ થયેલા શ્રીમતે આજે પણ ઘી-કેળાં ખાઈ રહ્યાં છે, તીર્થસ્થાનેમાં જઈ લાખના જમણવાર, ઉપધાન કરાવતાં હશે તે સમયે તેમના હૃદયમાં પિતાના પાપવ્યાપારને ખ્યાલ આવતું હશે? ગેતવા છતાં પણ દયાની દેવીને વાસ તેમના જીવનમાં હશે?કેસર કે કંકુના તિલકે પણ તેમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવી શકશે? એકાદ હાથી પિતાની મેળે મરી ગયે હોય તેટલા માત્રથી લાખે અને કરોડોના વ્યાપાર નથી થતાં ત્યારે માનવું જ રહ્યું કે “ત્તવોટ્ટરિત ફુગર’ હાડકા-મજા (શરીરની છઠ્ઠી ધાતુ જેમાંથી શુક બને છે) નખ, આંખ, કાન, સ્નાયુ(નસ વિશેષ)નાક, નાડી, સિંધડા, દાઢ, પિંછા, વિષ, વાળ આદિની પ્રાપ્તિ માટે તે તે જાનવરોને મારવામાં આવે છે. સારાંશ કે આ પદાર્થોને ઉપગ ઔષધે માટે તાંત્રિક પ્રયોગો માટે તથા વ્યાપારાદિ માટે કરાય છે. જેમ કે લાખ અને કરોડની સંખ્યામાં, જંગલમાંથી મહાભયંકર વનવગડામાંથી અજગર, કાળા નાગ, ધેળા નાગ, પકડવામાં આવે છે, જેમાંથી તેની દાઢ, વિષ, ચામડી કાઢી લેવામાં આવે છે. અજગર બહુ જ લાંબા હોય છે. તેમને પકડીને કે પકડાવીને તેમની ચામડી કાઢી લેવામાં આવે છે. જેમાંથી શ્રીમંતને કે તેમની ધર્મપત્નીઓને પહેરવા માટે વ આદિ બને છે.
SR No.023156
Book TitlePrashna Vyakaran
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1984
Total Pages692
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_prashnavyakaran
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy