SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જાય છે. તેવી રીતે ભવસિદ્ધિક અવસ્થાને પણ કાળલબ્ધિ અને ભાવલબ્ધિ નિમિત્તરૂપ હોય છે. ભગવાન મહાવીરસ્વામીને મોક્ષમાં જવા માટે કાળલબ્ધિ ન પાકી હોવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી ઠેઠ ૨૧ ભ સુધી મોક્ષની મર્યાદાભૂમિમાં તેઓ આવી શક્યા નથી. માટે ત્રીજા ભવે ચારિત્ર મહનયના કારણે સંયમભ્રષ્ટ થયા; જ્યારે શિષ્યસંપત્તિના લેભે દર્શન મેહનીયન ચક્રાવે ચડ્યા અને સમ્યક્ત્વથી પણ ભ્રષ્ટ થયા. વચલા બાર ભવો સુધી ફરીથી સમ્યગદર્શન મેળવવાને માટે સમર્થ બની શક્યા નથી. સેળભે ભવે ફરીથી ચારિત્રવંત થયા પણ મોક્ષમર્યાદાથી દૂર રહેવાના કારણે ક્રોધાવેશમાં ધૂ પૂ થઈને નિદાનગ્રસ્ત બન્યા. અઢારમા ભવે નિયાણાનાં ફળ ભેગવીને સાતમી નરકે ગયા. વશમા ભવે સિંહના ભવે જન્મી એકવીશમા ભવમાં ચોથી નરકે ગયા. આ પ્રમાણે નયસારના ભવમાં સમ્યકત્વ મેળવ્યા પછી પણ એકવીશ ભવ સુધી ઘણું ભયંકરમાં ભયંકર-અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ મોહનીયા સંબંધી કર્મો ભેગવાયાં પછી બાવીશમા ભાવમાં મેક્ષની મર્યાદામાં આવી શક્યા છે. તેથી પાપસ્થાનકના માર્ગ બંધ થયા, સંવરનાં દ્વાર ઉઘડ્યાં અને પોતાના હૈયામાં જ બિરાજમાન અરિહંત સ્વરૂપને સાક્ષાત્કાર કરી શક્યા. પછી તે ઉત્તરોત્તર આગળની શ્રેણીઓમાં ચડતા ગયા અને સત્તાવીશમા ભવમાં કાળ લબ્ધિ અને ભાવ લબ્ધિને સમાગમ થતાં મહાવીરસ્વામીને આત્મા અનંત સુખને ભોક્તા બનવા પામે. માટે જ કહેવાયું છે કે, “વહેલા કે મેડા ભવસિદ્ધિ મેક્ષમાં જનારા થશે અને અભવ્યસિદ્ધિકે હરહાલતમાં મોક્ષ તરફ પ્રસ્થાન કરી શકવાના નથી ” કારણ આપતાં કહેવાયું છે કે, “જેમ ભવસિદ્ધિક સ્વાભાવિક છે તેમ અભયસિદ્ધિક પણ
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy