SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અપ્રીતિ આદિ લક્ષણે વડે માનવ જીવનમાં રહેલે ક્રોધ નકારી શકાતું નથી. બેશક, અપ્રીતિ આદિમાં નિર્મમત્વ લક્ષણથી લક્ષિત વૈરાગ્ય પણ કારણરૂપે હોઈ શકે છે, પરંતુ નિશ્ચયાત્મક દષ્ટિએ નિર્મમ માનવના જીવનમાં દ્રષાત્મક અપ્રીતિ હોતી નથી, પણ દયાપૂર્ણ પ્રીતિ–પ્રેમ-મિત્રતાને સાગર ઉછળતું હોય છે જેમકે મહાવીરસ્વામીને ચંડકૌશિક કે સંગમ ઉપર, પાર્શ્વનાથને કમઠાસુર ઉપર, બંધકમુનિના પાંચસે શિષ્યને પાલક મંત્રી ઉપર, ગજસુકુમાલ મુનિને પિતાના સસરા ઉપર, મેતારજ મુનિને તેની ઉપર, ચન્દનબાળાને મૂળા શેઠાણી ઉપર કે જિમતીને પિતાના દિયર મુનિ ઉપર અપ્રીતિ-અપ્રેમ-નફરત કે રેષ ન હતું, પણ અદ્ભુત કરુણ હતી, મૈત્રીભાવ હતું, દયાની ચરમસીમા હતી. તેથી જ કહેવાયું છે કે સમ્યકત્વના લાગી ગયેલા કેસરીયા રંગથી પૂર્ણ રૂપે રંગાયેલા જીવાત્માને કઈ પ્રત્યે પણ અપ્રીતિ-નફરત કે ઉદાસીનતા પણ હતી નથી. માટે જ શાસ્ત્રવચન છે કે અપ્રીતિ લક્ષણથી કોધ લક્ષિત થયા વિના રહેતું નથી. () ઋોઘ: સાત પરિણામ: ( જીવી૫) અત્યાપ્તિ, અતિવ્યાપ્તિ કે અસંભવાદિ દોષથી રહિત લક્ષણ વડે લક્ષ્યની સિદ્ધિ અસંભવિત નથી, પરંતુ લક્ષ્યમાં લક્ષણની વિદ્યમાનતા હોવી જ જોઈએ તેવું નથી. લેખંડના ગળામાં કે સગડીમાં અગ્નિરૂપ લક્ષ્ય તો છે, સાથે સાથે ધૂમાડા રૂપ લક્ષણની ગેરહાજરી પણ સ્પષ્ટ દેખાય છે. તેવી રીતે સ્વાર્થવશ કે સમયના ગણત્રીબાજ ઘણા એવા માનને
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy