SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વૈરવિરોધના કારણે જે સંસ્કારો પડ્યા હોય છે તેનાં કારણે ચાલવામાં, ખાવામાં, પીવામાં, સૂવા ઉઠવા-બેસવામાં ખ્યાલ રાખી શકાતું ન હોવાના કારણે જીવહત્યા કરવાની ભાવના ન હોવા છતાં પણ તેનાથી જીવહત્યા થઈ જવાની શક્યતા નકારી શકાતી નથી. તે માટે અરિહંતદેવના શાસને જીવ માત્રને પાપમાંથી બચાવવાને માટે ઈર્યાસમિતિની યેજના કરી છે. “ઈ” એટલે ગમન જેને કર્યા વિના જીવ માત્રને ચાલી શકે તેમ નથી, માટે “સમિતિ” અર્થાત્ ચાલવું પડે, બેસવું પડે, સૂવું પડે કે ખાવું-પીવું પડે તે બધી આવશ્યક ક્રિયાઓને ઉપગપૂર્વક કરે. મારા ચાલવાથી પણ કોઈ જીવની હત્યા ન થાય તે પ્રમાણે આંખેને ઉપયોગ કરીને પછીથી પગ મૂકે તે જીવવિરાધનાથી બચી શકાય છે. માટે ઇસમિતિ ધર્મ છે. ધર્મની આવશ્યકતા મુનિ તથા ગૃહસ્થને એકસમાન રહી છે, માટે જેમાં એક પૈસાની પણ આવશ્યક્તા પડતી નથી, પરસે પાડ પડતું નથી, તે ઈર્યાસમિતિ એટલે ઉપગપૂર્વક ચાલવું આદિ ધર્મ શા માટે ન આચર? જેમાં ચર્ચાની આવશ્યકતા નથી. વિતંડાવાદની કે તર્કવાદની પણ જરૂરત નથી, કેમકે સૌથી નિરાળે અને પવિત્રમાં પવિત્ર આ ધર્મ છે. સાધુ મુનિરાજે તે દિવસે કે રાતમાં ઈસમિતિપૂર્વક જ ચાલે છે અને વિવેક સમ્પન્ન, અહિંસાપ્રેમી ગૃહસ્થ પણ ઉપગપૂર્વક ચાલવાને પ્રયત્ન કરે છે. યદ્યપિ ગૃહસ્થને ગૃહસ્થાશ્રમ ચલાવવા માટે આરંભ અને પરિગ્રહ કરવા પડશે તે પણ નિરર્થક જીવહત્યા ન થવા પામે અથવા ઉપગપૂર્વક ચારતા યદિ અમુક જ બચી જતા હોય તે ગૃડસ્થને પણ ઈસમિતિપૂર્વક ચાલવામાં હાનિ નથી પણ ફાયદો જ છે.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy