SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કોઈ કાળે છોડવાં ન જોઈએ. માન્યું કે પુણ્યકર્મો પણ સોનાની બેડી જેવાં છે, તે પણ લેખંડની બેડી કરતાં તે કંઈક સારાં જ છે. અને જ્યારે આત્માના અધ્યવસાયે શુભ, શુદ્ધ, અતિ શુદ્ધ બનવાની તૈયારીમાં હોય છે અથવા બની ગયા હોય છે ત્યારે તે શુભ કે અશુભ બંને પ્રકારના આશરે ત્યા જ બને છે. () સંવર તત્વ: આશવમાર્ગને બંધ કરવાની પ્રક્રિયાને સંવરતત્વ કહેવાય છે, જે આત્માની અભૂતપૂર્વ મેક્ષાભિલાષિણી પુરુષાર્થ_શક્તિને આભારી છે. “વૃદ્ધિ: મંજૂસરળી” અર્થાત્ પિતાનાં પૂર્વભવીય કર્મોના કારણે માણસની બુદ્ધિ અને પરિસ્થિતિનું સર્જન થવા છતાં પણ આત્મા જ્યારે અનિવૃત્ત અને અપૂર્વકરણમાં પ્રવેશ પામે છે ત્યારે નરક કે તિર્યંચ અવતારમાંથી અને તે ગતિના ખરાબમાં ખરાબ સંસ્કારોને લઈને માનવશરીર પામેલે હેવા છતાં પિતાનાં કર્મોને, બુદ્ધિને પરાસ્ત કરવા ભાગ્યશાળી બને છે, તથા કેવળ જ્ઞાન કે તીર્થકર પદને પણ પ્રાપ્ત કરવાની ક્ષમતા મેળવે છે. આઠે કર્મોમાં મેહકર્મને ઉપશમ સુલભ હોવાથી માનવ જે તે કરવા ચાહે તે કરી શકે છે. માટે પૂર્વ ભવનાં પાપને કારણે માણસમાં પાપબુદ્ધિ થાય છે, તે સમયે જૈનત્વને પામેલો ભાગ્યશાળી પિતાના આત્મપુરુષાર્થ વડે મેહબુદ્ધિ, કધબુદ્ધિ, માયાબુદ્ધિ કે કામબુદ્ધિને ઉપશમ ફ્રી નિર્જરા તત્ત્વ તરફ પ્રસ્થાન કરી શકે છે. ધ્યાનમાં રાખવાનું છે કે જીવનમાં સર્વથા નિકાચિત કર્મોનું વેદન તે અનિવાર્ય હોવાના કારણે ત્યાં બીજો વિકલ્પ પ્રાયઃ નથી; તો પણ માનવજીવનમાં બધા એ નિકાચિત કર્મો જ હોય છે તે માન્યતા ભ્રમપૂર્ણ છે. માટે ગમે તે ભવમાં ઉપાર્જિત મેહકોધાદિના કુસંસ્કારોને દબાવી દેવા
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy