SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨ મું: ઉદ્દેશક-૧ વ્યાપી, રૂપ-રંગ-રસ અને સ્પર્શ વિનાને, અરૂપી હોવા છતાં પણ શરીરના સહવાસે કથંચિત્ રૂપી આત્મા પ્રત્યેક શરીરમાં સ્પષ્ટ અનુભવાતું તત્વ છે. (૨) અજીવ તત્ત્વ : સંસારનું ઉત્પાદન, હવન, પાલન કે સંચાલન ઈશ્વરને અધીન નથી પણ અજીવ તત્ત્વને અધીન રહેલું છે. જીવની જેમ અજીવ પણ અનંતશક્તિ સંપન્ન હોવાથી સંસારના સંચાલનમાં પૂર્ણ સમર્થ છે, જેના કારણે સંસારને પ્રત્યેક પદાર્થ પોતપોતાની સેવા (ધર્મ) બરાબર બજાવી રહ્યો છે. માટે જ દેવવિમાને સ્થિર છે, સમુદ્ર મર્યાદિત છે. વર્ષાદિ તુઓ પિતાના સમયને ઉલ્લંઘી શકતી નથી. વનસ્પતિઓને પત્ર પુષ્પ અને ફળ આદિની પ્રાપ્તિ તથા પતન સમય પ્રમાણે જ થઈ રહ્યું છે. માતાની કુક્ષિમાં સંતાનનું આવવું, નવ મહિના ત્યાં રહેવું, અને યથા સમય સંસારના “સ્ટેજ ઉપર આવવું એ બધું યે આ અજીવ તત્ત્વને આભારી છે. આકાશમાં ઈદ્રધનુષ્ય કેસે બનાવ્યું? ઝાડ ઉપર ફળ ક્યાંથી આવ્યાં ? કોણે પકાવ્યાં? માણસના મુખમાં જ દાંત કેમ છે? આંખથી રસાસ્વાદ કેમ થતું નથી? આના જેવા અગણિત પ્રશ્નોને જવાબ એક જ છે કે અજીવ તત્વની સત્તા સૌ કેઈને માન્ય કર્યા વિના છુટકે નથી. (૩) પુણ્ય તત્વ: “પુનાત્યાનમામિતિ પુષ્યમ’ આ વ્યુત્પત્તિથી, જેનાથી આત્માને ઉત્કર્ષ સધાય, વિકાસ થાય અને સગતિ તથા સત્કર્મો તરફ આગળને આગળ પ્રસ્થાન કરાય તે પુણ્યતત્ત્વને આભારી છે. તે બે પ્રકારે છે. ૧. સાધારણ પુણ્ય, ૨. વિશેષ પુણ્ય. (૧) સાધારણ પુણ્ય-અંતરાત્માની મુલ ઈચ્છા ન હોવા
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy