SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮મું : ઉદ્દેશક-૧૦ પ૦૫ બગાડનારી છે, તે પછી તેવી અભક્ષ્ય કે અનંતકાય વનસ્પતિઓને ખાઈને મારું જીવન શા માટે બગાડવું ? જે વિલાસને માણતા મારા જીવનમાં જાતીય દૂષણ વધશે, કામ ચેષ ભડકે બળશે અને અંતે મારી વૃદ્ધાવસ્થાને બગાડીને ભયંકર અસાધ્ય રેગમાં પટકશે, જેથી મૃત્યુ અવસ્થા બગડ્યા વિના નહીં રહે, માટે ગુંડા જેવા વિલાસે મને છોડવાના નથી, તે પછી હું પોતે જ તેમને તિલાંજલી આપીને વિદાય કરૂં અથવા વિદાય કરવાનો પ્રયત્ન કરૂં. અને છેવટે મારા પુણ્યકર્મો સમાપત થઈને આવતા ભવને માટે મને રેતે કરે તે પહેલાં જ હું સાવધાન થઈને તેમને ત્યાગ કરૂં. એમ સમજીને ભાગ્યશાળી સાધક ખાવાની, પીવાની, પહેરવાની કે વિલાસની સામગ્રીને મર્યાદિત અને સંયમિત કરશે જેથી પુણ્યકર્મોની જાહોજલાલીમાં પણ પિતાના આવતા ભવને સુધારવા માટે, તથા આ ભવની અધૂરી આરાધનાને આવતા ભવમાં પૂર્ણ કરી જન્મ-જરા-મૃત્યુના મુખમાંથી છૂટકે થાય તે માટે આરાધનામાં તૈયાર રહેશે. આ પ્રમાણે વિચારણા કરીને સેમિલ દ્વિજ પિતાના ગોપભેગનું વિરમણ અર્થાત્ મર્યાદિત કરે છે. (૩) અનર્થદંડ વિરમણ ગુણવ્રત : અનાદિ કાળના કુસંસ્કારે છેડવા જોઈએ” આ શબ્દ બલવામાં જેટલા સરળ છે, તેના કરતાં આચરણમાં ઉતારવામાં ભલભલા સાધક આત્માઓ પણ પોતાના સાધનામાર્ગથી ભ્રષ્ટ થઈને નીચે ગબડી પડ્યા છે, પછી ચાહે તે દ્રવ્યથી ગબડ્યા હોય કે, ભાવથી ગબડ્યા ડેય કે, દ્રવ્ય અને ભાવથી ગબડ્યા
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy