SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮મું : ઉદ્દેશક-૯ ૪૬૧ ભગવંતે કહ્યું કે દે તત્કાળ નરકમાં જતા નથી તેમ નારક પણ તત્કાળ પાછે નરકમાં જો નથી, માટે મનુષ્ય કે તિર્યંચને જ નરકમાં જવાની યેગ્યતા છે. સારાંશ કે અત્યારે તે જીવ ભલે ને મનુષ્ય કે તિર્યંચ હોય તે પણ તે નારક કહેવાશે. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમાર દેવે સુધી જાણવું. તિય ચ, મનુષ્ય કે દેવ મરીને પૃથ્વીકાયિક થવાને હોય તેને ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક કહેવાય છે. વિષય વાસના, પરિગ્રહ અને તેમાં આસક્ત થયેલા દેવે પણ ચવીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે જ્યાં “gયા ૨ સવે સંવ ૩રવિ સાથfમ ૩વવનંતિ રતિય' એટલે એકેન્દ્રિય અવતારને પામેલે જીવ પાંચ, પચ્ચીસ, સે, હજાર, લાખ કે કરોડની સંખ્યામાં પરમાત્માની વીસીઓ થાય ત્યાં સુધી તેને ત્યાંથી બહાર નીકળવાનું ભાગ્યમાં રહેતું નથી. આ પ્રમાણે અપૂકાય અને વનસ્પતિકાય માટે પણ જાણવું. વિશેષમાં એટલું કે વનસ્પતિકાયને પ્રાપ્ત કરેલે દેવ અનંત વીસીઓ થયા પછી કદાચ ફરીથી મનુષ્ય અવતાર મેળવવા ભાગ્યશાળી બની શકશે. દસ કેડીકેડી સાગરોપમમાં એક ચોવીસી થાય છે, ત્યારપછી બીજી ચાવીસી થવામાં આટલો સમય પસાર થયા પછી બીજી વીસી થાય છે. આ પ્રમાણે અનંત ચાવીસી થયે તે જીવને વનસ્પતિકાયમાંથી બહાર નીકળવાનો અવસર મળશે. મનુષ્ય કે તિર્યચ જીવ, વાયુકાયિક, તેજસ્કાયિક કે વિકલેન્દ્રિય થવાને હોય તે ભવ્યદ્રવ્ય વાયુકાયિક, તેજસ્કાયિક
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy